લોકો આ જગ્યાને ‘Place Of God’ માને છે, આજ સુધી કોઈ શોધી નથી શક્યું, કોણે બનાવી ?

|

Feb 15, 2021 | 6:29 PM

આ જગ્યા એઝટેક સામ્રાજ્યના લોકોએ 14 મી સદીમાં શોધી હતી. તેને ક્યારે, કોણે અને શા માટે બનાવ્યું તે વિશે ઇતિહાસકારો પાસે કોઈ ઠોસ માહિતી નથી. તેથી, આ જગ્યા માટે લોકોમાં વધુ ને વધુ અભિરુચિ વધી રહી છે.

લોકો આ જગ્યાને Place Of God માને છે, આજ સુધી કોઈ શોધી નથી શક્યું, કોણે બનાવી ?
Pyramid of the Sun Teotihuacan City

Follow us on

આપની દુનિયા ઘણા ચિત્ર વિચિત્ર રહસ્યોથી ભરેલી છે, જેને આજ સુધી કોઈએ ઉકેલી શક્યું નથી. એવું નથી કે આ રહસ્યોને ક્યારેય હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી, પરંતુ જેટલી વાર આ રાહસ્યોને હલ કરવાની કોશિશ કરવામાં આવી તે એટલી જ જટિલ બનતી જે છે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના રહસ્ય સાથે આજદિન સુધી રહસ્યો પરથી પરદો ઉઠી શક્યો નથી.

ખરેખર આવી વિચિત્ર જગ્યા મેક્સિકોમાં સ્થિત છે. આ જગ્યા ટિયોતિહુઆકન (Teotihuacan) શહેર તરીકે પણ ઓળખાય છે. આ સ્થાનને ‘Place of God’ અથવા ‘ભગવાનની જગ્યા’ પણ કહેવામાં આવે છે. આ શહેર ફક્ત પિરામિડનો ખંડેર છે. એવું કહેવામાં આવે છે કે એક સમયે આ સ્થળે 25 હજાર લોકો રહેતા હતા. આ શહેરની નિર્માણ શૈલી ગ્રીડ સિસ્ટમ પર બનાવવામાં આવ્યું છે, જેમ કે ન્યુ યોર્ક શહેર બનેલું છે.

નિષ્ણાતોના મતે, આ જગ્યા એઝટેકસ સામ્રાજ્યના લોકોએ 14 મી સદીમાં શોધી કાઢી હતી. એઝટેકસ સમુદાયને લાગતું હતું કે આ શહેર તેની જાતે બનીને તૈયાર થયું હતું. જેના કારણે આ સ્થાન આજે પણ લોકો માટે રહસ્ય બની રહ્યું છે. તેને કોણે બનાવ્યું, કેમ અને શા માટે બનાવ્યું તે વિશે ઇતિહાસકારો પાસે કોઈ સશક્ત માહિતી નથી. તેથી, આ જગ્યા માટે લોકોમાં વધુ ને વધુ અભિરુચિ વધી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જગ્યા વિશે કોઈ પુસ્તકમાં કોઈ વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. એવું કહેવામાં આવે છે કે એક સમયે આ શહેરમાં 25 હજાર લોકો રહેતા હતા. ઇતિહાસકારોના મતે, આ શહેરની વિશેષતા તેને તમામ સ્થળોથી અલગ બનાવે છે. એવું કહેવામાં આવે છે કે અહીં પિરામિડની અંદર ઘણા માણસોના કંકાલ મળી આવ્યા છે. ઘણા લોકોના મતે, આ જગ્યા પર માણસોની બલિ ચડવામાં આવતી હતી.

Published On - 6:15 pm, Mon, 15 February 21

Next Article