દેશના ગૌરવ અને બહાદુર પાયલૉટ વિંગ કમાંડર અભિનંદન ભારત પરત ફર્યા આગામી 24 કલાકોમાં તેમની સાથે શું-શું થશે ? જાણો આ ખાસ રિપોર્ટમાં

|

Mar 01, 2019 | 6:56 AM

ભારતની ઍર સ્ટ્રાઇકથી અકળાઈને ભારતમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની એફ-16 લડાકૂ વિમાનને ભારતના મિગ 21 લડાકૂ વિમાન દ્વારા પાડી દેનાર વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વાપસીનો વાઘા બૉર્ડર પર ઇંતેજાર થઈ રહ્યો છે. TV9 Gujarati   Web Stories View more વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો Neighbour of Mukesh Ambani : આ છે […]

દેશના ગૌરવ અને બહાદુર પાયલૉટ વિંગ કમાંડર અભિનંદન ભારત પરત ફર્યા આગામી 24 કલાકોમાં તેમની સાથે શું-શું થશે ? જાણો આ ખાસ રિપોર્ટમાં

Follow us on

ભારતની ઍર સ્ટ્રાઇકથી અકળાઈને ભારતમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની એફ-16 લડાકૂ વિમાનને ભારતના મિગ 21 લડાકૂ વિમાન દ્વારા પાડી દેનાર વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વાપસીનો વાઘા બૉર્ડર પર ઇંતેજાર થઈ રહ્યો છે.

TV9 Gujarati

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

પાકિસ્તાની વિદેશ પ્રધાન મહમૂદ કુરૈશીના જણાવ્યા મુજબ અભિનંદનને આજે બપોર બાદ વાઘા બૉર્ડરથી ભારતને સોંપવામાં આવશે. જોકે અભિનંદનની આ સોંપણી માટે એક ચોક્કસ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અભિનંદન ભારતની ધરતી પર પગ મૂકશે, તે પહેલા ભારત-પાકિસ્તાન અને અભિનંદને ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

અભિનંદનને ભારતને સોંપાતા પહેલા અને સોંપાયા બાદ કઈ-કઈ પ્રક્રિયા થશે ? તેના વિશે માહિતી આપતા મેજર જનરલ રાજ મહેતાએ જણાવ્યું કે સૌપ્રથમ અભિનંદનની મેડિકલ તપાસ થશે. ઇંટરનેશનલ રેડ ક્રૉસ સોસાયટી અભિનંદનને પોતાની સાથે લઈ જશે અને તેમની આખી તબીબી તપાસ કરશે. આ તપાસ આ જાણવા માટે કરાશે કે ક્યાંક તેમને પાકિસ્તાન તરફથી કોઈ શારીરિક ઈજા તો નથી પહોંચાડવામાં આવી. અભિનંદનને કોઈ જાતના ડ્રગ્સ તો નહીં અપાયા કે શારીરિક અથવા માનસિક પ્રતાડના તો નથી અપાઈ. જિનેવા સંધિ હેઠળ આ પ્રકારની તપાસ જરૂરી હોય છે.

ત્યાર બાદ અભિનંદનના તબીબી પરીક્ષણના દસ્તાવેજો તૈયાર કરવામાં આવશે અને આ દસ્તાવેજો ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે. ભારતમાં પ્રવેશ કર્યા બાદ વાયુસેનાની મેડિકલ ટીમ સૌપ્રથમ અભિનંદનની 100 ટકા તબીબી તપાસ કરાવશે. અભિનંદનના મેડિકલ ટેસ્ટ માટે તબીબી નિષ્ણાતોની ટીમ તૈયાર હશે. ત્યાર બાદ વિંગ કમાંડર અભિનંદન સાથે વાતચીત થશે. ઇન્ટેલિજન્સ ડીબ્રીફિંગ થશે કે આપની સાથે શું થયું, કેવી રીતે થયું, તેની તમામ તપાસ કરવામાં આવશે. પાકિસ્તાનમાં કેવો વ્યવહાર થયો, તેમણે શું પૂછ્યું અને શું વાતચીત થઈ, આ તમામ કાર્યવાહી થશે. ત્યાર બાદ આખો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે.

જો ભારતને આ તમામ પ્રક્રિયા અને તપાસ બાદ લાગશે કે અભિનંદન સાથે કંઇક વાંધાજનક થયું છે, તો તે બાબત ભારત આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરશે.

[yop_poll id=1892]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:53 am, Fri, 1 March 19

Next Article