જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના વળતા હુમલામાં પાક સેનાના 20 સૈનિકો ઠાર, પાકિસ્તાની ગોળીબારમાં 4 ભારતીય જવાનો શહીદ

|

Nov 13, 2020 | 7:40 PM

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના 20 સૈનિકોને ઠાર માર્યા છે. પાકિસ્તાનના હુમલા બાદ ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરી હતી. માર્યા ગયેલા પાકિસ્તાની સૈન્યના સૈનિકોની સૂચિમાં બે-ત્રણ પાકિસ્તાન આર્મી સ્પેશિયલ સર્વિસ ગ્રુપ SSG કમાન્ડોનો સમાવેશ થાય છે. ભારતીય સેનાના સૂત્રોના હવાલાથી સમાચાર એજન્સી ANIએ જણાવ્યું છે. 10-12 પાકિસ્તાની સેનાના જવાનો ભારતીય સેનાના ફાયરિંગમાં ઘાયલ થયા હતા. જેમાં […]

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના વળતા હુમલામાં પાક સેનાના 20 સૈનિકો ઠાર, પાકિસ્તાની ગોળીબારમાં 4 ભારતીય જવાનો શહીદ

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના 20 સૈનિકોને ઠાર માર્યા છે. પાકિસ્તાનના હુમલા બાદ ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરી હતી. માર્યા ગયેલા પાકિસ્તાની સૈન્યના સૈનિકોની સૂચિમાં બે-ત્રણ પાકિસ્તાન આર્મી સ્પેશિયલ સર્વિસ ગ્રુપ SSG કમાન્ડોનો સમાવેશ થાય છે. ભારતીય સેનાના સૂત્રોના હવાલાથી સમાચાર એજન્સી ANIએ જણાવ્યું છે.

10-12 પાકિસ્તાની સેનાના જવાનો ભારતીય સેનાના ફાયરિંગમાં ઘાયલ થયા હતા. જેમાં મોટી સંખ્યામાં પાકિસ્તાન આર્મીના બંકર, ફ્યુઅલ ડમ્પ અને લોંચ પેડ્સ પણ નાશ પામ્યા હતા. LOC પર વિવિધ સેક્ટરમાં પાકિસ્તાન આર્મી દ્વારા ગોળીબાર કરાયો હતો. જેના જવાબમાં ભારતીય સેનાએ બદલો લીધો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ભારતીય સેનાની વળતા હુમલામાં પાકિસ્તાની સેનાને પીછેહઠ કરવી પડી હતી. આ અંગે એક વીડિયો પણ જાહેર કરાયો છે. જેમાં પાકિસ્તાન સેના કેવી રીતે પરાસ્ત થાય છે તે સ્પષ્ટ જોઇ શકાય છે. પાકિસ્તાની ચેકપોસ્ટ પર ભારતીય સેનાએ કેવી રીતે હુમલો કર્યો તે પણ વીડિયોમાં જોઇ શકાય છે.

ભારતીય સેનાએ પાકિસ્તાનના અનેક લોંચપેડ ધ્વંસ કર્યા હતા.જેમાં ભારતીય સેનાએ SSGના ત્રણ કમાંડરને પણ ઠાર કર્યા છે. ભારતીય સેનાએ શહીદોનો તાબડતોબ બદલો લીધો હતો. ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરાયો હતો. ત્યારે BSFના એક જવાન સહિત કુલ 4 જવાનો શહીદ થયા હતા. ત્યારે LOC પર પણ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરાયું હતું.

દિવસની શરૂઆતમાં, પાકિસ્તાન સૈન્યએ જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર ઉરીથી ગુરેઝ સુધીના અનેક ક્ષેત્રોમાં અનિયંત્રિત યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીની બિડને નિષ્ફળ કરતી વખતે અને પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ભંગ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ સ્થળોએ ભારતીય સેનાના 4 જવાન શહીદ થયા હતા. આર્મીના સૂત્રોએ જણાવ્યું છેકે, ઉરી સેક્ટરમાં બે સૈનિકો જયારે એક ગુરેઝ સેક્ટરમાં જવાન શહીદ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:54 pm, Fri, 13 November 20

Next Article