
મિડિલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલુ તણાવ સંપુર્ણ રીતે બંધ થવાનું નામ લઈ રહ્યું નથી. ઈરાન પર અમેરિકા-ઈઝરાયલ યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો સ્થગિત થઈ રહ્યા હોય તેવું લાગે છે, સંયુક્ત અરબ અમીરાતે કહ્યું કે, રવિવારે તેના પરમાણું ઉર્જા પ્લાન્ટ પર હુમલો થયો છે. જેના કારણે આગ લાગી હતી. અબુ ધાબીના અધિકારીઓએ આને ખતરનાક કહ્યું છે. દેશના રક્ષા મંત્રાલયે કહ્યું કે, 3 ડ્રોન પશ્ચિમી સીમા તરફથી યુએઈમાં આવ્યા હતા. 2 ડ્રોનને રોકવામાં આવ્યા હતા.પરંતુ ત્રીજું ડ્રોન અબુ ધાબુમાં બરાકાહ પરમાણુ વીજ પ્લાન્ટની આંતરિક સરહદની બહાર એક પાવર જનરેટર પર અથડાયો હતો, જેના કારણે આગ લાગી હતી.
આ ઘટના એવા સમયે બની છે. જ્યારે અમેરિકા અને ઈઝરાયલના ઈરાન સાથે ઘર્ષણને પૂર્ણ કરવાનો પ્રયાસ બંધ થયો છે. ખાડી ક્ષેત્રની સુરક્ષા પર તણાવ પર ખતરો બનેલો છે. યુએઈએ આ હુમલા માટે કઈ પણ ને જવાબદાર ઠેરવ્યું નથી. પરંતુ આ ખતરનાક ઘટના ગણાવી છે. યુએઈના વિદેશ મંત્રાલયે હુમલાને આક્રમકતાનું એક અસ્વીકાર્ય કૃત્ય જણાવ્યું છે અને કહ્યું કે, કોઈ પણરીતે દુશ્મનીનો જવાબ આપવાનો અધિકાર છે.
વિદેશ મંત્રાલયે આગળ કહ્યું કે, શાંતિપૂર્ણ ઉર્જા સુવિધાઓ નિશાન બનાવવું આંતરરાષ્ટ્રીય કાનુન,સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને માનવીય કાનુનના સિદ્ધાંતોનું ઘોર ઉલ્લંધન છે. અધિકારીએ એ કારણ નહી જણાવ્યું કે, ડ્રોન ક્યાંની લોન્ચ કરવામાં આવ્યું છે. પરંતુ યુએઈએ પહેલા ઈરાન પર પોતાના ઉર્જા ઠેકાણા પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તેમજ આને સંઘર્ષનું વધવાનું કહ્યું છે.
સ્થાનિક અમીરાત અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી, અને રેડિયોલોજીકલ સલામતી સ્તરો અને કામગીરીને કોઈ અસર થઈ નથી. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) એ કહ્યું કે તે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. IAEA ના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રાસીએ આ ઘટનાની નિંદા કરી અને પરમાણુ સલામતીને જોખમમાં મૂકી શકે તેવી કોઈપણ લશ્કરી પ્રવૃત્તિને અસ્વીકાર્ય ગણાવી.
28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું ત્યારથી, ઈરાને વારંવાર યુએઈ અને અન્ય ખાડી દેશો પર હુમલો કર્યો છે. જોકે, ઈરાનના હુમલાઓમાં યુએઈ સૌથી વધુ નિશાન બન્યું છે, જેમાં 550 થી વધુ મિસાઈલ અને 2,800 ડ્રોન છોડવામાં આવ્યા છે. યુએઈએ દાવો કર્યો છે કે. ઈરાને તેના નાગરિક અને ઉર્જા માળખા પર હુમલો કર્યો છે. દરમિયાન, તેહરાને દાવો કર્યો છે કે યુએઈ ઈરાન સામેના હુમલામાં સામેલ છે.