
ઈરાને સોમવાર 13 જુલાઈના રોજ રાત્રે હોર્મુઝ સ્ટ્રેટમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના બે ઓઈલ ટેન્કરોને નિશાન બનાવ્યા. ઈરાની ક્રુઝ મિસાઈલ હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું અને ક્રૂના આઠ અન્ય સભ્યો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. યુએઈના સંરક્ષણ મંત્રાલયે હુમલાની પુષ્ટિ કરી છે.
યુએઈએના સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે ઓમાનની સમુદ્રી સીમાની અંદર હોર્મુઝ જળમાર્ગની દક્ષિણ શિપિંગ લેનમાંથી પસાર થઈ રહેલા ‘મોમ્બાસા’ અને ‘અલ બહિયા’ નામના તેલ ટેન્કરો પર ઈરાને બે ક્રૂઝ મિસાઇલોથી હુમલો કર્યો હતો.
In its tweet of X, UAE Ministry of Defence states national tankers ‘Mombasa’ and ‘Al Bahiyah’ were targeted by two Iranian cruise missiles while transiting the southern shipping lane of the Strait of Hormuz, within Omani territorial waters.
The ministry confirmed the attack… pic.twitter.com/wPeQmNj9bw
— ANI (@ANI) July 13, 2026
મંત્રાલયે પુષ્ટિ કરી છે કે આ હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું છે અને છ ભારતીયો અને બે યુક્રેનિયન નાગરિકો સહિત આઠ અન્ય લોકો ઘાયલ થયા છે. આગને કારણે બંને જહાજોને નુકસાન થયું હતું. આગને કાબૂમાં લેવામાં આવ્યું છે. યુએઈએ આ હુમલાની કડક નિંદા કરતાં જણાવ્યું કે આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે અને દેશને યોગ્ય જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર સુરક્ષિત છે.
યુએઈએના વિદેશ મંત્રાલય (MoFA) એ હોર્મુઝ સ્ટ્રેટમાં ઓમાનના જળમાર્ગમાં મોમ્બાસા અને અલ બાહિયા નામના તેલ ટેન્કરો પર બે ક્રુઝ મિસાઇલોથી ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની સખત નિંદા કરી છે. MoFAએ હુમલામાં એક ભારતીય નાગરિકના મૃત્યુ બદલ ભારત સરકાર અને ભારતના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. મંત્રાલયે ભાર મૂક્યો છે કે આ હુમલો યુએન સુરક્ષા પરિષદના ઠરાવ 2817નું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને તમામ દુશ્મનાવટ તાત્કાલિક બંધ કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે ફરીથી ખોલવાની માંગ કરી છે.
UAE Ministry of Foreign Affairs (MoFA) condemns “in the strongest terms” Iranian hostile attacks targeting national oil tankers ‘Mombasa’ and ‘Al Bahiyah’ with two cruise missiles in the Strait of Hormuz, within Omani territorial waters.
MoFA extended its sincere condolences to… pic.twitter.com/XYdaCYeAIV
— ANI (@ANI) July 13, 2026
યુએઈએ જણાવ્યું હતું કે પ્રાદેશિક સુરક્ષાને સુરક્ષિત રાખવા અને વૈશ્વિક અર્થતંત્ર અને વેપારની સ્થિરતા જાળવવા માટે ઈરાને આ બિનઉશ્કેરણીજનક હુમલાઓ બંધ કરવા જોઈએ. તમામ દુશ્મનાવટ તાત્કાલિક બંધ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. કોઈપણ શરત વિના હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ફરીથી ખોલવું જોઈએ. આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. તેના જવાબમાં અમેરિકાએ ઈરાનમાં 140 સ્થળો પર જવાબી હુમલા કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
યુએસએ એ પણ જાહેરાત કરી છે કે તે આજે સાંજથી ઈરાની બંદરો પર અને ત્યાંથી આવનારા અને ત્યાંથી જતાં સમુદ્રી જહાજોની નાકાબંધી ફરી શરૂ કરશે. અગાઉ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાં નૌકાદળ નાકાબંધી ખાસ કરીને ઈરાનને લક્ષ્ય બનાવશે. જ્યારે અન્ય દેશોના જહાજોને વ્યૂહાત્મક જળમાર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપશે. એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે નાકાબંધી ફક્ત ઈરાન અને તેહરાન સાથે વેપાર કરતા લોકો પર લાગુ થશે.