ઈરાને જપ્ત કરેલ ઈઝરાયેલના જહાજમાંથી ભારતીય મહિલા ક્રુ મેમ્બર સ્વદેશ પરત ફરી, વિદેશ પ્રધાને કહ્યું- આ છે મોદી ગેરંટી

|

Apr 18, 2024 | 6:13 PM

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુએઈના દરિયાઈ વિસ્તારમાં ઈઝરાયેલના જહાજને અટકાવી દીધું હતું. ઈરાને અટકાવેલ આ જહાજ એક કન્ટેનર જહાજ હતું, જેમાં કુલ 25 ક્રૂ મેમ્બર છે. જેમાંથી 17 ક્રૂ મેમ્બર ભારતીય છે. આમાંથી એક ભારતીય મહિલા સભ્ય આજે સ્વદેશ પરત ફરી છે. અન્યની મુક્તિ માટેના પ્રયાસો ચાલુ છે.

ઈરાને જપ્ત કરેલ ઈઝરાયેલના જહાજમાંથી ભારતીય મહિલા ક્રુ મેમ્બર સ્વદેશ પરત ફરી, વિદેશ પ્રધાને કહ્યું- આ છે મોદી ગેરંટી

Follow us on

ઇઝરાયલી જહાજ પર બંધક બનાવવામાં આવેલા 17 ભારતીયોમાંથી એક મહિલા સભ્ય સ્વદેશ પરત આવી છે. બાકીના 16 બંધકોની મુક્તિ માટે ભારત સરકાર ઈરાન સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રી એસ જયશંકર, ક્રૂ મેમ્બર એવા ભારતીય બંધકોની મુક્તિને લઈને ઈરાનના વિદેશ મંત્રી સાથે સતત વાતચીત કરી રહ્યા છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુએઈના દરિયાઈ વિસ્તારમાં ઈઝરાયેલના જહાજને અટકાવી દીધું હતું. ઈરાને અટકાવેલ આ જહાજ એક કન્ટેનર જહાજ હતું, જેમાં કુલ 25 ક્રૂ મેમ્બર છે. જેમાંથી 17 ક્રૂ મેમ્બર ભારતીય છે. ઈરાને તે તમામને બંધક બનાવી લીધા હતા. સૌથી મહત્વની વાત એ છે કે આમ કરતી વખતે ઈરાને ઈઝરાયેલનું નામ લીધું હતું અને આ જહાજને યહૂદી શાસન સાથે જોડાયેલું ગણાવ્યું હતું. ભારતીય મહિલાની મુક્તિ પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે દેશમાં હોય કે વિદેશમાં, મોદીની ગેરંટી પૂરી થાય છે.

આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો

ઇટાલિયન કંપની પાસે માલિકીના અધિકારો

ઈરાને શનિવારે આ ઈઝરાયલી જહાજ યુએઈના દરિયાકાંઠેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને રોક્યું હતું. કહેવાય છે કે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડનું એક જૂથ હેલિકોપ્ટર મારફતે જહાજ સુધી પહોંચ્યું હતું. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે જહાજનો મૂળ માલિક ઇટાલિયન સ્વિસ કંપની છે, પરંતુ કન્ટેનરમાં પોર્ટુગીઝ ધ્વજ પણ છે.

ભારતીય અધિકારીઓ ઈરાનના સંપર્કમાં

ઈરાને જહાજને અટકાવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ ઈરાનના સંપર્કમાં હતા. જહાજ પર ભારતીય ટીમની હાજરીની માહિતી બાદથી વિદેશ મંત્રાલય રાજદ્વારી માધ્યમથી ઈરાનનો સતત સંપર્ક કરી રહ્યું હતું. વિદેશ મંત્રી એસ જયશંકર પોતે પોતાના ઈરાની સમકક્ષ સાથે સતત વાત કરી રહ્યા છે. તેની અસર હવે દેખાઈ રહી છે. ગુરુવારે, એ જહાજ પર બંધક બનાવવામાં આવેલી એક ભારતીય મહિલા સ્વદેશ પરત આવી છે, અન્ય ભારતીય બંધકોને પણ ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે.

Next Article