વાહ રે પાકિસ્તાનીઓ ! હવામાં અભિનંદનનું વિમાન ક્રૅશ થયા બાદ પાકિસ્તાનીઓએ પોતાના જ ક્રૅશ થયેલા F-16ના પાયલૉટને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યો !

|

Mar 02, 2019 | 7:49 AM

જમ્મુ-કાશ્મીરમાં એલઓસી ક્રૉસ કરી ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી પીઓકેમાં તુટી પડેલા એફ-16 વિમાનના પાયલૉટને પાકિસ્તાનીઓ જ ક્રૂરતાપૂર્વક મારી નાખ્યાનો દાવો કરાઈ રહ્યો છે. TV9 Gujarati   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી […]

વાહ રે પાકિસ્તાનીઓ ! હવામાં અભિનંદનનું વિમાન ક્રૅશ થયા બાદ પાકિસ્તાનીઓએ પોતાના જ ક્રૅશ થયેલા F-16ના પાયલૉટને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યો !

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં એલઓસી ક્રૉસ કરી ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી પીઓકેમાં તુટી પડેલા એફ-16 વિમાનના પાયલૉટને પાકિસ્તાનીઓ જ ક્રૂરતાપૂર્વક મારી નાખ્યાનો દાવો કરાઈ રહ્યો છે.

TV9 Gujarati

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ દાવો કર્યો છે લંડનમાં રહેતા વકીલ ખાલિદ ઉમરે. તેમણે પોતાના ફેસબુક ઍકાઉંટમાં એક પોસ્ટ કરી છે. આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પણ ખાલિદ ઉમરના આ દાવાને પોતાના રિપોર્ટમાં સામેલ કરી રહ્યા છે. આ પોસ્ટ મુજબ પાકિસ્તાની એફ-16 વિમાન પાકિસ્તાની વાયુસેનાની 19મી સ્ક્વૉડ્રનનો પાયલૉટ શહઝાઝુદ્દીન ઉડાવી રહ્યો હતો.

ખાલિદ ઉમરે પોતાની એફબી પોસ્ટમાં લખ્યું છે, ‘દુઃખદ છે કે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (પીઓકે)માં ઇજેક્ટ કર્યા બાદ પાકિસ્તાની પાયલૉટ જીવતો હતો, પરંતુ લોકોની ભીડે તેને ભારતીય સમજીને માર્યો. જ્યારે લોકોને ખબર પડી કે આ તો આપણો જ માણસ છે, તો શહઝાઝને હૉસ્પિટલ લઈ જવાયો કે જ્યાં તેનું મોત થઈ ગયું. તે રિટાયર્ડ ઍર માર્શનો પુત્ર હતો. 2 ઍર માર્શલના પુત્રો (અભિનંદન અને શહઝાઝ)એ આકાશમાં લડાઈ લડી. બંને જમીન પર પડ્યા, પણ એક જીવતો ન બચી શક્યો.’

નોંધનીય છે કે પાકિસ્તાને પહેલા તો દાવો કર્યો હતો કે તેનું કોઈ વિમાન ક્રૅશ નથી થયું. ત્યાર બાદ તેણે બે ભારતીય પાયલૉટ પકડવાનો દાવો કર્યો હતો, તે પણ ખોટો સાબિત થયો, કારણ કે એક ઈજાગ્રસ્ત પાયલૉટ શહઝાઝ હતો. પાકિસ્તાનના એફ-16 વિમાના પીઓકેમાં મળેલા કાટમાળે પણ પાકિસ્તાનના આ દાવાની હવા કાઢી નાખી હતી કે ભારતીય મિગ વિમાન દ્વારા તેના એફ-16 વિમાનને પાડી દેવાયું નથી.

[yop_poll id=1922]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article