Breaking News : એલર્ટ.. મહા યુદ્ધના ભણકારા વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ઈરાનમાં રહેતા લોકો..

ઈરાનમાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારે ત્યાં રહેલા ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ સલાહ જારી કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિના અલ્ટીમેટમ બાદ આગામી 48 કલાક સંવેદનશીલ છે.

Breaking News : એલર્ટ.. મહા યુદ્ધના ભણકારા વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ઈરાનમાં રહેતા લોકો..
| Updated on: Apr 07, 2026 | 9:58 PM

ઈરાનમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં રહેલા ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ સલાહ જારી કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ બાદ આગામી 48 કલાક ખૂબ જ સંવેદનશીલ ગણાઈ રહ્યા છે, જેના કારણે આ એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે.

સંવેદનશીલ વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ

સલાહ મુજબ, ઈરાનમાં રહેલા ભારતીયોએ આગામી 48 કલાક સુધી જ્યાં છે ત્યાં જ રહેવું જોઈએ અને અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને વીજળીના પ્લાન્ટ, લશ્કરી સ્થાનો અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત, બહુમાળી ઈમારતોના ઉપરના માળે જવાનું પણ ટાળવું અને શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર સુરક્ષિત રહેવું વધુ યોગ્ય ગણાવવામાં આવ્યું છે.

ભારતીય દૂતાવાસે પણ સ્પષ્ટ જણાવ્યું છે કે હાઈવે પર મુસાફરી કરવાની જરૂર પડે તો તે પહેલાં દૂતાવાસ સાથે યોગ્ય સંકલન કરવું જરૂરી છે. જે નાગરિકો દૂતાવાસ દ્વારા બુક કરાયેલા હોટેલોમાં રહે છે, તેમને ત્યાં જ રહેવા અને દૂતાવાસ ટીમ સાથે સતત સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.

સત્તાવાર માહિતી અને અપડેટ્સ પર સતત નજર રાખવાની પણ ખાસ અપીલ કરવામાં આવી છે, જેથી કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લઈ શકાય.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દૂતાવાસે ઇમરજન્સી સંપર્ક માટે હેલ્પલાઈન નંબરો અને ઇમેઇલ પણ જાહેર કર્યા છે:

મોબાઇલ નંબર : +989128109115, +989128109102, +989128109109, +989932179359
ઇમેઇલ: cons.tehran@mea.gov.in

ભારત સરકારે તમામ નાગરિકોને શાંતિ રાખવા, સાવચેતી રાખવા અને સત્તાવાર માર્ગદર્શનનું પાલન કરવા અપીલ કરી છે.

હવે ફાટશે ન્યુક્લિયર બોમ્બ! અમેરિકા ઈરાન સામે ખોફનાક તૈયારી – રિપોર્ટ

Published On - 9:56 pm, Tue, 7 April 26

Follow Us