LAC પર ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી અને ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા . આ વિવાદની વચ્ચે ફ્રાંસએ ભારતને સમર્થન આપ્યું છે. ફ્રાંસની રક્ષા મંત્રી ફ્લોરેંસ પાર્લીએ ગલવાન વેલીની ઘટનામાં 20 ભારતીય જવાન શહીદ થયા તેને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સોમવારના રોજ ફ્રાંસના રક્ષામંત્રીએ રાજનાથસિંહને પત્ર લખ્યો હતો. તેઓએ લખ્યું કે આ સૈનિકો, તેમના પરિવારો અને રાષ્ટ્ર માટે એક મોટો આઘાત હતો. આ પરિસ્થિતિમાં હું, ફ્રાંસના શસ્ત્રદળોની સાથે પોતાનું મૈત્રીપૂર્ણ સમર્થન વ્યક્ત કરવા માગું છું. ફ્રાંસની સેના તમારી સાથે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ સિવાય ફ્રાંસના રક્ષામંત્રીએ રાજનાથસિંહના નિમંત્રણ પર ભારત પ્રવાસની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી. આ પછી બંને દેશ વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. આ ઘટનાને વૈશ્વિક તરીકે ગંભીરતાથી લેવામાં આવી છે. ઉપરાંત ભારતે ફ્રાંસની બનાવટના રાફેલ વિમાનની ખરીદી કરી છે. ભારતની વિનંતી પર ઝડપથી રાફેલ વિમાનની ભારતમાં ડિલીવરી કરવામાં આવી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]