ઈમરાન ખાને OICમાં કાશ્મીરનો આલાપ્યો રાગ, કહ્યુ અમારું કોઈ સાંભળતુ નથી

|

Mar 22, 2022 | 7:09 PM

ઈમરાન ખાને કહ્યું કે અમારી વસ્તી 150 કરોડ છે પરંતુ અમારો અવાજ કોઈ સાંભળતું નથી. અમે ફક્ત કાશ્મીર અને પેલેસ્ટાઈનના સામાન્ય લોકો અને માનવ અધિકારોની વાત કરી રહ્યા છીએ. પરંતુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિયમો તે લોકોની તરફેણમાં છે.

ઈમરાન ખાને OICમાં કાશ્મીરનો આલાપ્યો રાગ, કહ્યુ અમારું કોઈ સાંભળતુ નથી
Imran Khan, Prime Minister of Pakistan (file photo)

Follow us on

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) ફરી એકવાર ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન કાશ્મીરનો (Kashmir) રાગ આલાપ્યો છે. ઈમરાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાઈ રહેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે આ દરમિયાન ચીનમાં ઉઇગર મુસ્લિમો પર થતા અત્યાચાર પર ઈમરાનખાનની બોલતી બંધ થઈ ગઈ હતી. જો કે હાલ પાકિસ્તાનમાં રાજકીય સંકટમાં ઘેરાયેલા ઈમરાન ખાને પોતાની હતાશા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠકમાં કાઢતા કહ્યુ કે, કાશ્મીર મુદ્દે અમારી વાત કોઈ સાંભળતુ નથી.

સાઉદી અરેબિયાએ પણ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની (OIC) બેઠકમાં કાશ્મીરને લઈને નિવેદન આપ્યું હતું. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને કહ્યું કે તેમનો દેશ કાશ્મીરના લોકોની સાથે છે. તેમણે કહ્યું કે અમે કાશ્મીર વિવાદના ન્યાયપૂર્ણ ઉકેલ સુધી પહોંચવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસને સમર્થન આપીએ છીએ.

ઈમરાને કહ્યું, કોઈ અમારુ સાંભળતું નથી

ઈમરાન ખાને કહ્યું છે કે અમારી વસ્તી 150 કરોડ છે પરંતુ અમારો અવાજ કોઈ સાંભળતું નથી. અમે ફક્ત કાશ્મીર અને પેલેસ્ટાઈનના સામાન્ય લોકો અને માનવ અધિકારોની વાત કરી રહ્યા છીએ. પરંતુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિયમો તે લોકોની તરફેણમાં છે. સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓ તેમના અધિકારોના સમર્થનમાં છે. આ સંસ્થાઓ લોકમત માંગે છે જેથી ત્યાંના લોકો પોતાનું ભવિષ્ય જાતે પસંદ કરી શકે, પરંતુ આ અધિકારો હજુ સુધી તેમને આપવામાં આવ્યા નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

‘મૂળભૂત મુદ્દાઓ પર સાથે આવવાની જરૂર’

ઈમરાન ખાને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં વધુમાં કહ્યું છે કે અધિકાર આપવાને બદલે તેમના અધિકારો છીનવાઈ રહ્યા છે. ભારતે 5 ઓગસ્ટ 2019 ના રોજ ગેરકાયદેસર રીતે કાશ્મીરીઓના વિશેષ અધિકારોને નાબૂદ કર્યા. પરંતુ આ મુદ્દે કંઈ થયું નહીં કારણ કે તેઓ કોઈ દબાણ અનુભવતા ન હતા. ભારતને લાગે છે કે તેઓ કોઈપણ ઠરાવ પસાર કરીને આગળ વધી શકે છે.

આપણામાં અંદોરઅંદર જ વિખવાદ : ઈમરાન ખાન

ઈમરાન ખાને પેલેસ્ટાઈન અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે અમે આ મુદ્દાઓ પર નિષ્ફળ રહ્યા છીએ. મને એ કહેતા દુ:ખ થાય છે કે અમે તેમના માટે કંઈ કરી શક્યા નથી. વિશ્વના શક્તિશાળી દેશો આપણને ગંભીરતાથી લેતા નથી. આપણે અંદરોઅંદર જ વિખરાયેલા છીએ અને તેઓ આ વાત સારી રીતે જાણે છે.

 

આ પણ વાંચોઃ

Gulf Investment Summit : કલમ 370 દુર થયા બાદ, જમ્મુ-કાશ્મીરમાં 27 હજાર કરોડનુ રોકાણ, 7 લાખ લોકોને મળશે રોજગાર

આ પણ વાંચોઃ

પંજાબમાં 35,000 હંગામી કર્મચારીઓને કાયમી કરાશે, ગ્રુપ C અને D ના કર્મચારીઓ માટે CM ભગવંત માનની મોટી જાહેરાત

Published On - 6:47 pm, Tue, 22 March 22

Next Article