IPCC : યુનાઇટેડ નેશન્સ દ્વારા નિયુક્ત આંતર સરકારી સમિતિ આબોહવા પરિવર્તન (IPCC) ‘ક્લાઇમેટ ચેન્જ 2021: ધ ફિઝિકલ સાયન્સ બેસિસ’નો છઠ્ઠો આકારણી અહેવાલ (AR6) જણાવે છે કે, દરિયાના ગરમ થવાથી પાણીનું સ્તર વધશે. જેનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર આવશે અને નીચા -અંતરિયાળ વિસ્તારોમાં જોખમ પણ વધશે.
આપણે ગરમ પવન, ભારે વરસાદની ઘટનાઓ અને પીગળતી હિમનદીઓ પણ જોઈશું, જે ભારત જેવા દેશને ખૂબ અસર કરશે. દરિયાની સપાટીમાં વધારો અનેક કુદરતી ઘટનાઓ તરફ દોરી જશે, જેનો અર્થ ઉષ્ણકટિબંધીય ચક્રવાત આવે ત્યારે પૂર આવે છે. આ બધા પરિણામો છે જે બહુ દૂર નથી.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિઓરોલોજી (IITM) ના વૈજ્ઞાનિક (scientist) અને રિપોર્ટના લેખક સ્વપ્ના પનીક્કલએ જણાવ્યું હતું કે, તાપમાનમાં વધારો થવાથી દરિયાની સપાટીમાં વધારો થશે. તેમણે કહ્યું, “હિંદ મહાસાગર પ્રદેશ ઝડપથી ગરમ થઈ રહ્યો છે. આનો અર્થ એ છે કે, સમુદ્ર (sea) નું સ્તર પણ ઝડપથી વધશે.
તેથી, 21 મી સદી દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારો દરિયાનું સ્તર વધશે. નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર અને જમીનનું ધોવાણ વધશે. આ સાથે દરિયાની સપાટીની આત્યંતિક ઘટનાઓ, જે પહેલા 100 વર્ષમાં એકવાર થતી હતી, આ સદીના અંત સુધી દર વર્ષે બની શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગરમીમાં વધારા સાથે ભારે વરસાદ (Heavy rain) ની ઘટનાઓને કારણે પૂર અને દુષ્કાળની સ્થિતિ સર્જાવાની સંભાવના રહેશે. રિપોર્ટ અનુસાર, 1970 ના દાયકાથી માનવ હસ્તક્ષેપને કારણે સમુદ્ર ગરમ થઈ રહ્યો છે. તેણે પૃથ્વી પરના સૌથી ઠંડા સ્થળોને પણ અસર કરી છે અને 1990 ના દાયકાથી આર્કટિક દરિયાઈ બરફમાં 40 ટકાનો ઘટાડો થયો છે અને 1950 ના દાયકાથી ઉનાળા (Summer) માં આર્કટિક સમુદ્રનો બરફ પણ પીગળી રહ્યો છે.
રિપોર્ટના લેખકોએ જણાવ્યું હતું કે, ભારત આગામી 20-30 વર્ષોમાં આંતરિક હવામાન પરિબળોને કારણે વરસાદમાં વધારે જોશે નહીં પરંતુ 21 મી સદીના અંત સુધીમાં વરસાદમાં વધારો થશે. રિપોર્ટ અનુસાર જો તાપમાન બે ડિગ્રી વધે તો ભારત, ચીન અને રશિયામાં ગરમીનો પ્રકોપ ઘણો વધી જશે.
આ પણ વાંચો : Hill Stations : દક્ષિણ ભારતના 5 સૌથી પ્રખ્યાત અને સુંદર હિલ સ્ટેશનો વિશે જાણો