પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ Pervez Musharraf Death, ઘણા સમયથી બીમાર હતા

|

Feb 05, 2023 | 3:35 PM

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું શુક્રવારે નિધન થયું છે. સ્થાનિક મીડિયાએ આ માહિતી આપી છે. યુનાઈટેડ આરબ અમીરાતની અમેરિકન હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, તેઓ એમાયલોઇડિસ રોગથી પીડિત હતા.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ Pervez Musharraf Death, ઘણા સમયથી બીમાર હતા
former president pakistan pervez musharraf death
Image Credit source: File Photo

Follow us on

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું શુક્રવારે નિધન થયું છે. સ્થાનિક મીડિયાએ આ માહિતી આપી છે. યુનાઈટેડ આરબ અમીરાતની અમેરિકન હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, તેઓ એમાયલોઇડિસ રોગથી પીડિત હતા. ભૂતપૂર્વ લશ્કરી સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફ હતા ત્યારે તેમણે ભારત વિરુદ્ધ ઘણાં ષડયંત્ર રચ્યા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

દિલ્હીમાં થયો હતો જન્મ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઓગસ્ટ 1943ના રોજ નવી દિલ્હીના દરિયાગંજમાં થયો હતો. 1947માં તેમના પરિવારે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. ભાગલાના થોડા દિવસ પહેલા જ તેમનો આખો પરિવાર પાકિસ્તાન પહોંચી ગયો હતો. તેના પિતા સઈદે નવી પાકિસ્તાન સરકાર માટે કામ કરવાનું શરૂ કર્યું અને વિદેશ મંત્રાલય સાથે સંકળાયેલા હતા.

તૂર્કીમાં જીવન

આ પછી તેમના પિતાની પાકિસ્તાનથી તુર્કીમાં બદલી થઈ ગઈ, 1949માં તેઓ તુર્કી ગયા. થોડો સમય તે તેના પરિવાર સાથે તુર્કીમાં રહ્યો હતો, જ્યારે તેણે તુર્કી ભાષા બોલવાનું પણ શીખી લીધું હતું. મુશર્રફ પણ યુવાનીમાં ખેલાડી રહી ચૂક્યા છે. 1957માં તેમનો આખો પરિવાર ફરીથી પાકિસ્તાન પરત ફર્યો. તેણે કરાચીની સેન્ટ પેટ્રિક સ્કૂલમાં અને લાહોરની ફોરમેન ક્રિશ્ચિયન કૉલેજમાં સ્કૂલનો અભ્યાસ કર્યો.

 


મુશર્રફને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી

જણાવી દઈએ કે મુશર્રફને પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યા અને લાલ મસ્જિદના મૌલવીની હત્યાના કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. પૂર્વ સૈન્ય શાસક મુશર્રફ માર્ચ 2016માં સારવાર માટે દુબઈ ગયા હતા અને ત્યારપછી પાછા ફર્યા ન હતા. રાજદ્રોહના કેસની સુનાવણી કરતી વખતે, 17 ડિસેમ્બર 2019 ના રોજ, પાકિસ્તાનની અદાલતની વિશેષ બેંચે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મૃત્યુદંડની સજા સંભળાવી.

ગયા વર્ષે મૃત્યુની અફવા ફેલાઈ હતી

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જૂનમાં પરવેઝ મુશર્રફના મોતની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી. ઘણા લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપવાનું પણ શરૂ કરી દીધું હતું. જો કે, બાદમાં મુશર્રફના પરિવારે તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા નિવેદન જારી કરીને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી.

(ઇનપુટ-ભાષાંતર)

Published On - 11:38 am, Sun, 5 February 23

Next Article