AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Sorry ભુલથી તમારા Divorce થઇ ગયા’, કપલ પરેશાન ! જજે નિર્ણય પાછો ખેંચવાની પાડી ના

લંડનથી આવો કિસ્સો સામે આવ્યો છે કે કોઈને પણ આશ્ચર્ય થશે. અહીં વકીલની ભૂલને કારણે કોર્ટે દંપતીને છૂટાછેડા આપી દીધા. એટલું જ નહીં, ન્યાયાધીશે નિર્ણય પાછો ખેંચવાની પણ ના પાડી દીધી.

'Sorry ભુલથી તમારા Divorce થઇ ગયા', કપલ પરેશાન ! જજે નિર્ણય પાછો ખેંચવાની પાડી ના
Divorce
| Updated on: Apr 16, 2024 | 1:51 PM
Share

દેશ અને દુનિયામાં વિવાહિત યુગલો માટે છૂટાછેડાની પ્રક્રિયા અલગ છે. ઘણા એવા દેશ છે જ્યાં છૂટાછેડા સરળતાથી મળી જાય છે, જ્યારે ભારત સહિત ઘણા એવા દેશો છે જ્યાં છૂટાછેડા લેવા માટે વર્ષો લાગી જાય છે, પરંતુ હાલમાં જ લંડનથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે કોઈને પણ આશ્ચર્ય થશે.

અહીંની કોર્ટે ભૂલથી દંપતીને છૂટાછેડા આપી દીધા. વિચિત્ર લાગે છે કે કોઈ વ્યક્તિ ભૂલથી કેવી રીતે છૂટાછેડા લઈ શકે? અહીં અમે તમને આખો મામલો જણાવી રહ્યા છીએ.

ન્યાયાધીશે નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કર્યો હતો

વાસ્તવમાં આ બધું આયેશા Vardags ની લંડન સ્થિત લો ફર્મ વરદાગ્સના સોલિસિટરની ભૂલને કારણે થયું હતું. પરિણામ એ આવ્યું કે ન્યાયાધીશે નિર્ણય પાછો ખેંચવાની ના પાડી.

મિસ્ટર એન્ડ મિસિસ વિલિયમ્સ નામના આ કપલના લગ્નને 2023 માં 21 વર્ષ થયા હતા, પરંતુ કોર્ટે હવે તેમને છૂટાછેડા આપી દીધા છે. જો કે દંપતીને છૂટાછેડા લેવા જ હતા, તેમના અલગ થવા માટે નાણાકીય કરાર ગોઠવવાની પ્રક્રિયામાં હતા. દરમિયાન અન્ય યુગલના છૂટાછેડાના અંતિમ આદેશ દરમિયાન, Vardags ના કારકુને કમ્પ્યુટર પરના ડ્રોપ ડાઉન મેનૂમાંથી શ્રી અને શ્રીમતી વિલિયમ્સના નામ સિલેક્ટ થઇ જતા આ ભુલ થઇ ગઇ.

21 વર્ષ જૂના લગ્ન 21 મિનિટમાં તૂટી ગયા

આવી સ્થિતિમાં બંનેના 21 મિનિટમાં છૂટાછેડા થઇ ગયા. જ્યારે ન્યાયાધીશને આ ભૂલ વિશે જાણ કરવામાં આવી ત્યારે તેમણે નિર્ણય બદલવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે કોર્ટના નિર્ણયમાં જનતાનો વિશ્વાસ વધુ મહત્વપૂર્ણ છે.

જજે કહ્યું- આવી ભૂલ કેવી રીતે થઈ શકે?

બીજી તરફ, વરદાગના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે પેઢીના વકીલે દંપતી માટે અંતિમ છૂટાછેડા માટે અરજી કરતી વખતે ઑનલાઇન પોર્ટલ પર ભૂલ કરી હતી અને દંપતી છૂટાછેડા માટે તૈયાર નહોતું.

આયેશા વરદાગે કોર્ટના નિર્ણયને ખરાબ ગણાવ્યો હતો

આયેશા વરદાગે કોર્ટના નિર્ણયને ખરાબ ગણાવ્યો હતો. વરદાગે કહ્યું, ‘રાજ્યએ કોમ્પ્યુટર સંબંધિત ભૂલોના આધારે લોકોને છૂટાછેડા ન આપવા જોઈએ. જ્યારે કોઈ ભૂલ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવે ત્યારે કોર્ટે સમજવું જોઈતું હતું.

આનો અર્થ એ થયો કે, અત્યારે આપણો કાયદો કહે છે કે ઓનલાઈન સિસ્ટમમાં થયેલી ભૂલને કારણે તમારા છૂટાછેડા થઇ શકે, આ યોગ્ય નથી અને આ ન્યાય નથી.

Follow Us
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">