દિલ્હી કાર બ્લાસ્ટમાં ભારતના સમર્થનમાં આવ્યા અફઘાનીઓ, પાકિસ્તાનને ખુલ્લુ પાડી સુણાવી ખરીખટી- વાંચો

દિલ્હીમાં થયેલા પ્રચંડ કાર બ્લાસ્ટ અંગે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા પ્રોપેગેન્ડા સામે ભારતના સમર્થનાં અફઘાનીઓ આવ્યા છે. તાલિબાન સમર્થકોએ ઈસ્લામાબાદને એક્સપોઝ કરીને તેમને અરીસો બતાવવાનું કામ કર્યુ છે.

દિલ્હી કાર બ્લાસ્ટમાં ભારતના સમર્થનમાં આવ્યા અફઘાનીઓ, પાકિસ્તાનને ખુલ્લુ પાડી સુણાવી ખરીખટી- વાંચો
| Updated on: Nov 11, 2025 | 4:58 PM

સોમવારે સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટથી દેશ હચમચી ગયો છે. કાર બોમ્બ વિસ્ફોટમાં 9 લોકો માર્યા ગયા. જ્યારે દુનિયા આ ઘટનાની નિંદા કરી રહી છે, ત્યારે ઘણા પાકિસ્તાનીઓ તેને ફોલ્સ ફ્લેગ ઓપરેશન ગણાવી રહ્યા છે. ઘણા પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે ભારતે આ વિસ્ફોટો એટલા માટે કર્યા હતા કે તે પોતાને પીડિત તરીકે દર્શાવીને તેમનું શોષણ કરી શકે. અફઘાન લોકોએ આવા નિવેદનો આપવા બદલ પાકિસ્તાનીઓને સખત ઠપકો આપ્યો છે, અને અફઘાન લોકો દાવો કરે છે કે આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે.

અફઘાન તાલિબાન સમર્થકો હૈદર હાશ્મી અને બુરહાનુદ્દીને સોશિયલ મીડિયા પર પાકિસ્તાની પોસ્ટના સ્ક્રીનશોટ શેર કર્યા. તેમણે લખ્યું કે આતંકવાદીઓનો ગઢ ગણાતો પાકિસ્તાન, ભારતમાં થયેલા વિસ્ફોટમાં સામેલ હતો. પાકિસ્તાની મીડિયાએ પહેલાથી જ હુમલા વિશે નિવેદનો જારી કર્યા હતા, જેનાથી શંકા ઉભી થઈ હતી. બુરહાનુદ્દીને લખ્યું કે દિલ્હી વિસ્ફોટના વાસ્તવિક ગુનેગારને દરેક જાણે છે. દરેકને ખબર છે કે આતંકવાદીઓના અડ્ડાઓ ક્યાં છે. પાકિસ્તાન આ ઘટનાને નકલી હુમલા તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કારણ કે તેઓ ભારતથી ડરે છે.

હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો અફઘાન યુઝર્સનો દાવો

અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે ઘણા પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલના સ્ક્રીનશોટ શેર કર્યા, જેમાં એક ભૂતપૂર્વ ચૂંટણી ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. આ યુઝર્સ દાવો કરી રહ્યા છે કે દિલ્હી વિસ્ફોટ પાછળ પાકિસ્તાનનો હાથ છે. તેમણે હુમલામાં માર્યા ગયેલા ભારતીયોના મોત પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે પાકિસ્તાને તેમને યોગ્ય સજા આપી છે. ભારતીય એજન્સીઓ પણ આતંકવાદના દૃષ્ટિકોણથી તપાસ ચાલુ રાખી રહી છે.

સોમવારે સાંજે 7 વાગ્યાની આસપાસ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ચાલતી કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેના કારણે નજીકમાં પાર્ક કરેલા અનેક વાહનો નાશ પામ્યા. નવ લોકો માર્યા ગયા અને 24 ઘાયલ થયા. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ જણાવ્યું કે વિસ્ફોટ ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયો હતો.

વિશ્વભરમાંથી આવી પ્રતિક્રિયા

દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ પર વિશ્વભરના ઘણા દેશોમાંથી પ્રતિક્રિયા આવી છે. ભારતમાં ઈરાની દૂતાવાસે દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટમાં થયેલા મૃત્યુ અને ઇજાઓ માટે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. બાંગ્લાદેશે પણ દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી છે.

ભારતમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલિપ ગ્રીને પણ સંવેદના વ્યક્ત કરી. તેમણે X પર લખ્યું, “અમારા વિચારો એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. અમે ઘાયલોના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ.” ભારતમાં ફ્રાન્સના રાજદૂત થિએરી મેથ્યુએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું.

ધર્મેન્દ્ર હિંદુ છે કે મુસ્લિમ, ક્યા ધર્મને માને છે ‘હીમેન’, શું બસન્તી માટે વીરુ દિલાવરખાન બન્યા હતા ?– વાંચો