વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાઈરસ એરબોર્ન છે. જે એક રૂમમાં નાના કણો દ્વારા લોકોને શ્વાસ લેવા પર તેમને સંક્રમિત કરી શકે છે. ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે આ વાતનું પ્રમાણ છે કે હવામાં નાના કણો દ્વારા કોરોના વાઈરસ લોકોને સંક્રમિત કરી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
એક અહેવાલ અનુસાર હવે વૈજ્ઞાનિકો દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોરોના વાઈરસ નિયમોમાં સંશોધન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. WHOએ કહ્યું હતું કે કોરોના વાઈરસ ડિસિઝ મુખ્ય રીતે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં નાક અથવા મોં દ્વારા નિકળતા નાના કણો દ્વારા ફેલાય છે.
અહેવાલ મુજબ WHOને લખવામાં આવેલા એક ઓપન લેટરમાં જેને રિસર્ચર્સે આગામી અઠવાડિયે એક સાઈન્ટિફિક જનરલમાં પબ્લિશ કરવાની યોજના બનાવી છે. તેમાં 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ નાના કણોને બતાવીને સબૂતોને રેખાંકિત કર્યા છે. તેમનું કહેવું છે કે આ નાના કણ લોકોને પ્રભાવિત કરી શકે છે. ત્યારે અત્યાર સુધી WHOએ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મોટા કણો હોય જે છીંક બાદ હવા દ્વારા ઝૂમ થાય છે અથવા ખુબ નાના એક્સહેલ્ડ ડ્રોપ્લેટ્સ હોય જે એક રૂમમાં ફરી શકે છે. તે લોકોને સંક્રમિત કરી શકે છે. કોરોના વાઈરસ હવાના માધ્યમથી પેદા થાય છે અને લોકો દ્વારા શ્વાસ લેવા પર તેમને સંક્રમિત કરી શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:36 am, Mon, 6 July 20