Controversy : ભારતમાં કરોડો દેવતાઓ ઓક્સિજન પેદા કરવામાં અસમર્થ છે, ચાર્લી હેબ્દો મેગેઝિનનો વિવાદ

|

May 14, 2021 | 4:05 PM

Controversy : ફ્રાન્સના કાર્ટૂન મેગેઝિન શાર્લી હેબ્દોએ ભારતમાં કોરોનાના વધતા જતા કેસો અને મોતને વખોડી કાઢયું છે. સામયિકે ભારપૂર્વક લખ્યું છે કે ભારતમાં કરોડો દેવતાઓ છે, પરંતુ કોઈ પણ ઓક્સિજનના અભાવને પહોંચી વળવા સક્ષમ નથી.

Controversy : ભારતમાં કરોડો દેવતાઓ ઓક્સિજન પેદા કરવામાં અસમર્થ છે,  ચાર્લી હેબ્દો મેગેઝિનનો વિવાદ
ચાર્લી હેબ્દો ફાઇલ

Follow us on

Controversy : ફ્રાન્સના કાર્ટૂન મેગેઝિન ચાર્લી હેબ્દોએ ભારતમાં કોરોનાના વધતા જતા કેસો અને મોતને વખોડી કાઢયું છે. સામયિકે ભારપૂર્વક લખ્યું છે કે ભારતમાં કરોડો દેવતાઓ છે, પરંતુ કોઈ પણ ઓક્સિજનના અભાવને પહોંચી વળવા સક્ષમ નથી. કાર્ટૂનમાં ઓક્સિજન સિલિન્ડર સાથે મોટી સંખ્યામાં લોકો સૂતેલા હતા. વળી, કેપ્શનમાં મેગેઝિને લખ્યું છે કે, “ભારતમાં 33 કરોડ દેવી-દેવતાઓ છે, પરંતુ કોઈ પણ ઓક્સિજન ઉત્પન્ન કરવામાં સક્ષમ નથી.” ખરેખર હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે અહીં 33 કરોડ દેવી-દેવતાઓ છે.

ચાર્લી હેબ્દો મેગેઝીનનો ફરી વિવાદીત કાર્ટુન

જો કે, સામયિકે 33 કરોડ દેવી-દેવતાઓની જગ્યાએ 33 મિલિયન લખ્યા છે, જેનો અર્થ 3.3 કરોડ છે. પરંતુ તે સ્પષ્ટ છે કે કાર્ટૂનમાં હિન્દુ ધર્મની માન્યતાના આધારે, ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને સંભાળવામાં આરોગ્ય સેવાઓ નિષ્ફળતા નિવડી છે. આ કાર્ટૂન મેગેઝિન દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યું છે. હમણાં સુધી સેંકડો લોકોએ તેને શેર કર્યું છે. આ કાર્ટૂનની ભારતના ઘણા લોકો દ્વારા નિંદા પણ કરવામાં આવી છે. ઘણા લોકોએ તેને ભારતની આરોગ્યસંભાળ પર હાંસી ઉડાવવાને બદલે હિન્દુ સમાજની મજાક ઉડાવનાર કાર્ટૂન ગણાવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

એટલું જ નહીં, કેટલાક લોકો એવા પણ છે કે જેમણે આ કાર્ટૂનને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે જોડ્યું છે. તમને જણાવી દઈએ કે ફ્રાન્સના સામયિક, ચાર્લી હેબ્દો, ધાર્મિક બાબતો પર કાર્ટૂન દ્વારા ઘણીવાર વિવાદ ઉભો કરે છે. પયંગબર મોહમ્મદના કાર્ટૂન છાપવા માટે પણ મેગેઝિનની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મેગેઝિનના ઘણા ટોચના કાર્ટૂનિસ્ટ માર્યા ગયા હતા. જો કે, મેગેઝિન હવે પણ પોતાનું વલણ બદલી શક્યું નથી. તે કહે છે કે આ તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, જેનો ઉપયોગ તેઓ ચાલુ રાખશે. ઘણા વપરાશકર્તાઓએ ચાર્લી હેબ્દોના આ કાર્ટૂનને પાઠ તરીકે જોવાની વાત કરી છે.

Next Article