Breaking News : નેપાળમાં પૂરને કારણે રોકડથી લઈ બેંકની સોના-ચાંદી સહિત 43.5 અબજની રકમ પૂરમાં તણાઈ

નેપાળમાં આવેલા ભોટેકોશી પૂરમાં રાસુવા-નુવાકોટમાં 11 બેંકોની 17 શાખાઓનો નાશ થયો હતો. આ શાખાઓમાં 43.5 અબજ રૂપિયા ડિપોઝિટ અને 24.2 અબજ રૂપિયા લોન હતી. 35 બેંક કર્મચારીઓ હજુ પણ ગુમ છે.

Breaking News : નેપાળમાં પૂરને કારણે રોકડથી લઈ બેંકની સોના-ચાંદી સહિત 43.5 અબજની રકમ પૂરમાં તણાઈ
Image Credit source: AI
| Updated on: Aug 31, 2026 | 8:15 AM

નેપાળના ભોટેકોશી નદીમાં આવેલ અચાનક પુરના કારણે રસુવા-નુવાકોટ જિલ્લામાં બેકિંગ વ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. પુરની ઝપેટમાં અહી 11 કોમર્શિયલ બેંકની 17 શાખાઓ પાણીમાં તણાય છે. આ શાખામાં અંદાજે 43.5 અરબ નેપાળી રુપિયાની જમા રકમ અને 24.2 અરબ નેપાળી રુપિયાનું કર્જ હતુ. આ શાખાઓ સાથે જોડાયેલા 73,275 જમા ખાત અને 2,125 લોન ખાતા હતા.

આનો મતલબ એ નથી કે, 43.5 અરબ રુપિયાની રકમ પૂરમાં તણાય છે. આ શાખામાં ગ્રાહકોની કુલ જમા રકમનો આંકડો છે. આ રીતે 24.2 અરબ રુપિયા આ ગ્રાહકોને આપેલા લોનનો આંકડો છે. પૂરમાં કેટલા પૈસા, માલસામાન અને અન્ય સંપત્તિનો નાશ થયો છે તે હજુ સુધી ચોક્કસ જાણી શકાયું નથી.

હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સને પણ નુકસાન થયું

પૂરના કારણે રસુવા અને આસપાસ કહેવાતા વિસ્તારોમાં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે. આ પ્રોજેક્ટમાં બેંકનું મોટું રોકાણ છે પરંતુ આ મોટી લોન સામાન્ય રીતે અનેક બેંકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને બેંકના કેન્દ્રીય કાર્યાલય દ્વારા મંજૂર કરવામાં આવે છે. તેથી, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં બેંકોના રોકાણો હોવા છતાં, આ ભંડોળ સ્થાનિક શાખાઓના ડિપોઝિટ અને લોન ડેટામાં સામેલ નથી.

પૂરમાં અનેક બેંક શાખાઓ સાથે રોકડ, સોના -ચાંદીના ઘરેણા પણ પાણીમાં તણાયા છે.બેંકો અને નાંણાકીય સંસ્થાઓ હજુ સુધી નુકસાનના આંકડા એકઠા કરી શકી નથી. તેની પહેલી પ્રાથમિકતા આ કર્મચારીઓને શોધવાની છે. જેનાથી પૂર પછી સંપર્ક થઈ શક્યો નથી.

નેપાળ રાષ્ટ્ર બેંકોએ માંગી સંપૂર્ણ જાણકારી

નેપાળ રાષ્ટ્ર બેંકો અને નાંણાકીય સંસ્થાઓના ગુમ કર્મચારીઓ અને સંપત્તિના નુકસાનની જાણકારી માંગી છે. રાષ્ટ્ર બેંકના પ્રવક્તા ગુરુ પ્રસાદ પૌડેલે જણાવ્યું કે, માનવીય નુકસાનની સાથે સાથે આર્થિક અને ભૈતિક નુકસાનનું મૂલ્યાંકન પણ શરૂ કરવામાં આવ્યું છે.

35 બેંકના કર્મચારીઓ હજુ લાપતા

પૂર પછી શનિવાર સાંજ સુધી 35 બેકિંગ કર્મચારીઓ સાથે સંપર્ક થયો નથી. જેમાં 27 કોમર્શિયલ બેંક કર્મચારીઓ, 6 માઇક્રોફાઇનાન્સ કર્મચારીઓ અને 2 કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ આ વિસ્તારના પ્રવાસ પર હતા. બેંક અને નાંણાકીય સંસ્થા ગુરુવારે આ ગુમ કર્મચારીઓના ફોટો અને ઓળખની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જેનાથી શોધખોળમાં મદદ મળી શકે.

Breaking News : ભોટેકોશી નદીમાં જોરદાર પ્રવાહ આવતા નેપાળમાં ફરી એક વાર વિનાશનો ભય, NDRRMAએ એલર્ટ જાહેર કર્યું અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.