Breaking News: દક્ષિણ આફ્રિકાની રાજધાનીમાં આગને કારણે મોટો અકસ્માત, 63 લોકો જીવતા બળી ગયા

|

Aug 31, 2023 | 1:15 PM

જોહાનિસબર્ગમાં થયેલા આ અકસ્માતમાં 63 લોકોના મોત થયા છે. ઈમરજન્સી મેનેજમેન્ટ સર્વિસે જણાવ્યું કે મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. મૃત્યુઆંક વધી શકે છે. તમને જણાવી દઈએ કે આગની આ ઘટના ડાઉનટાઉન વિસ્તારમાં બની હતી.

Breaking News: દક્ષિણ આફ્રિકાની રાજધાનીમાં આગને કારણે મોટો અકસ્માત, 63 લોકો જીવતા બળી ગયા

Follow us on

Breaking News: દક્ષિણ આફ્રિકા(South African)ની રાજધાની જોહાનિસબર્ગમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીના શહેરી વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘઆગનીટનામાં અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે જ્યારે 40થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે.

આ પણ વાંચો: J&K: રામબનની ઝૂંપડીઓમાં લાગી આગ, 3ના મોત, 2 ગંભીર રીતે દાઝ્યા

ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List

જોહાનિસબર્ગ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસના પ્રવક્તા બર્ટ મુલાઉદજીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 63 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં 43 લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં એક બાળકનું મોત થયું છે. બાકીના ઘાયલોની સારવાર ચાલી રહી છે.

 

 

બિલ્ડિંગમાં 200 લોકો હાજર હતા

હાલ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે જે બિલ્ડીંગમાં આગ લાગી તેમાં લગભગ 200 લોકો રહેતા હતા.

બુધવારે મોડી સાંજે જમ્મુ અને કાશ્મીરના રામબનમાં આગ લાગી હતી

જમ્મુ-કાશ્મીરના રામબનમાં બુધવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ઝૂંપડીઓમાં આગ લાગવાને કારણે એક માતા અને તેની બે પુત્રીઓના મોત થયા હતા. આ આગમાં બે લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો રામબન જિલ્લાની બિંગરા પંચાયતની હમેર ગલીનો છે.

રામબન જિલ્લાના એસએસપી મોહિતા શર્માએ જણાવ્યું કે બિંગારા ગામના હમેર ઢોકમાં ત્રણ અસ્થાયી ઝૂંપડાઓ બળીને ખાક થઈ ગયા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. તે જ સમયે, બે લોકો દાઝી ગયા છે, જેમને ગંભીર હાલતમાં સારવાર માટે ઉખરાલ પીએચસીમાં મોકલવામાં આવ્યા છે.

રિપોર્ટ મુજબ, પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં મૃતકના પતિ ઈબ્રાહિમ, પુત્ર બોબિયા અને એક મહિલા મિર્ઝા બેગમ પત્ની નૂરાની પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જણાવી દઈએ કે ઉનાળાની ઋતુમાં પશુઓને ચરાવવા માટે પર્વતો પર જે અસ્થાયી ઝૂંપડીઓ બનાવવામાં આવે છે તેને ઢોક કહેવામાં આવે છે.

Published On - 12:36 pm, Thu, 31 August 23

Next Article