
કૈલાશ માનસરોવર યાત્રાને લઈ વિદેશ મંત્રાલયે એ ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જે પ્રાઈવેટ ટુર ઓપરેટરો દ્વારા યાત્રા પર જઈ રહ્યા છે. શનિવારના રોજ જાહેર કરેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે,ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા મુસાફરી કરતી વખતે ચીન માટે જરૂરી પ્રવેશ પરમિટ અને વિઝા વિના નેપાળમાં ફસાયેલા ઘણા ભારતીય નાગરિકો તરફથી તેમને મદદ માટે વિનંતીઓ મળી છે.
મંત્રાલયે કહ્યું કે, નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, જ્યાં સુધી ભારતથી પોતાની યાત્રા શરુ ન કરે.ત્યાં સુધી તમામ ડોક્યુમેન્ટટ ન મળે. કન્ફોર્મ ડોક્યુમેન્ટ વગર કે જરુરી ડોક્યુમેન્ટ મળવાની આશામાં મુસાફરી શરુ કરવાથી ફંસાવાનો ખતરો વધી શકે છે.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રવાસીઓ ખાતરી કરે કે તેમના ટૂર ઓપરેટર યોગ્ય રીતે નોંધાયેલા અને અધિકૃત છે. કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા આશરે 52 ભારતીય નાગરિકો હાલમાં નેપાળના કાઠમંડુમાં ફસાયેલા છે અને તેમની સલામત આગળની યાત્રા માટે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે.
શનિવારના રોજ નેશનલિસ્ટ કોંગસ પારટીની સાંસદ સુપ્રિયા સુલે આ મામલો ઉઠાવ્યો હતો. તેમણે વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસને ફસાયેલા યાત્રિકોને તરત મદદ પહોંચાડવાની અપીલ કરી છે.પોસ્ટમાં સુલે સ્થિતિ વિશે પણ જણાવ્યું છે. તેમજ અધિકારીઔને મળી પગલું ભરવાની અપીલ કરી છે.
તેમણે લખ્યું કે, કૈલાશ માનસરોવરની યાત્રા પર નિકળેલા અંદાજે 52 ભારતીય નાગરિકો હજુ નેપાળના કાઠમાંડુમાં ફસાયેલા છે. તેમજ તેને મદદની જરુર છે. તેમણે વિદેશ મંત્રી અને નેપાળ અને ચીનમાં ભારતીય દૂતાવાસોને પણ હસ્તક્ષેપ કરવા વિનંતી કરવામાં આવી હતી.
તેમણે આગળ કહ્યું કે, ડો. એસ જયશંકર , કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસ, બીજિંગમાં ભારતીય દૂતાવાસ અને ભારતના વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે, આ મામલો જુઓ અને તેને આગળ સુરક્ષિત રીતે જરુરી મદદ કરે. 20 જૂનના રોજ કૈલાશ માનસરોવર યાત્રા 2026 પર નીકળેલા તીર્થયાત્રિઓનો પહેલો જથ્થો નાથુ લા દર્રેથી ભારત-ચીન સરહદ પાર કરી ચીનમાં એન્ટ્રી કરી છે.