
અમેરિકાએ સોમવારના રોજ જાહેરાત કરી હતી કે, તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં લાપરવાહી થી વાહન ચલાવવાથી લઈ યૌન શૌષણના આરોપના કારણે 1.75 લાખથી વધારે વિઝા રદ કર્યા છે. અમેરિકાના વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, આ વિઝા રદ સતત કરવામાં આવતી તપાસ હેઠળ રદ કરવામાં આવ્યા છે. જેનો ઉદ્દેશ્ય એ નક્કી કરે છે કે, આ વીઝા મેળવનાર શરતોનું પાલન કરે અને અમેરિકા માટે ખતરો ન બને.
વિદેશ મંત્રાલયે કહ્યું કે,રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાના વિદેશ વિભાગે આવા વિદેશી નાગરિકોના 1,75,000થી વધારે વિઝા રદ કર્યા છે. તેમણે પોતાના વિઝાની શરતનોનું ઉલ્લંધન કર્યું છે. ગુનો કર્યો છે. અમેરિકી નાગરિકો વિરુદ્ધ હિંસા કરી, અમેરિકાના લોકો સાથે છેતરપિંડી કરી. અમારી ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કર્યો અથવા રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી.
દેશ દ્વારા વિઝા રદ કરવામાં આવેલા વિઝાનું વિભાજન તાત્કાલિક ઉપલબ્ધ નહોતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, યુએસ વિઝા એક વિશેષાધિકાર છે, અધિકાર નથી. વિભાગ આપણા સમુદાયોને તેનો દુરુપયોગ કરનારાઓથી બચાવવા માટે ઉપલબ્ધ દરેક સાધનનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે.
અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે, આ કાર્યવાહી તપાસ અભિયાન હેઠળ વિઝા નિયમોના ઉલ્લંધન કરનાર આ અમેરિકાના નાગરિકોની સુરક્ષા માટે થકરો બનનાર લોકો પર પ્રતિબંધ લગાવી શકે છે. હજુ એજન્સીએ આ આંકડાની તાત્કાલિક જાણકારી ઉપલબ્ધ કરાવી નથી.
વિદેશ વિભાગે કહ્યું કે, આ લોકોની ઓળખ ગુનો કરવો, અમેરિકાના નાગરિકો વિરુદ્ધ હિંસા ભડકાવી, અમેરિકાની સાથે છેતરપિંડી કરવી. ઈમિગ્રેશન સિસ્ટમને ખોટો ઉપયોગ કરવો કે રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં નાંખવાના રુપમાં થઈ છે. વિદેશ વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમેરિકાના વિઝા એક વિશેષાધિકાર છે. અધિકાર નથી. મોટાભાગે વિઝા કાનુન પ્રવર્તન એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી જેમ કે, હુમલો,નશામાં ગાડી ચલાવવી નાંણાકીય છેતરપિંડીના કારણે રદ કરવામાં આવ્યા છે. આમાં સગીરોના જાતીય શોષણ અને બળાત્કાર જેવા ગંભીર કેસોના આરોપીઓનો પણ સમાવેશ થાય છે.