AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડાના ટોરોન્ટોમાં મસ્જિદની બહાર ઉભેલા લોકો પર હુમલો, વાહનમાંથી હુમલાખોરોએ ચલાવી ગોળીઓ, ઓછામાં ઓછા પાંચ લોકો થયા ઘાયલ

કેનેડાના ટોરોન્ટોમાં એક મસ્જિદની બહાર ભીષણ ગોળીબારના સમાચાર સામે આવ્યા છે. અહીંની મસ્જિદના પાર્કિંગ એરિયામાં કારમાં આવેલા કેટલાક અજાણ્યા હુમલાખોરોએ લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા.

કેનેડાના ટોરોન્ટોમાં મસ્જિદની બહાર ઉભેલા લોકો પર હુમલો, વાહનમાંથી હુમલાખોરોએ ચલાવી ગોળીઓ, ઓછામાં ઓછા પાંચ લોકો થયા ઘાયલ
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 3:13 PM
Share

Canada Mosque Shooting: કેનેડાના ટોરોન્ટોમાં એક મસ્જિદની બહાર ભીષણ ગોળીબારના (Toronto Mosque Shooting) સમાચાર સામે આવ્યા છે. અહીંની મસ્જિદના પાર્કિંગ એરિયામાં કારમાં આવેલા કેટલાક અજાણ્યા હુમલાખોરોએ લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા. પીડિતો રાત્રે રમઝાનની નમાજ પછી મસ્જિદમાંથી (Mosque) બહાર આવ્યા હતા અને સવારે 1 વાગ્યાની આસપાસ પાર્કિંગ એરિયામાં ભેગા થયા હતા. ત્યારબાદ હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના ટોરોન્ટોના (Toronto) સ્કારબોરો વિસ્તારની છે. હુમલા પાછળનું કારણ પોલીસ હજુ સુધી જાણી શકી નથી.

પોલીસે પત્રકારોને જણાવ્યું હતું કે તે “હિંસાની અચાનક ઘટના” હોઈ શકે છે. ટોરોન્ટોના પોલીસ વડા જેમ્સ રેમરે ટ્વિટર પર જણાવ્યું હતું કે “ઘટના પાછળનો હેતુ શું હતો તે કહેવું ખૂબ જ વહેલું છે પરંતુ હેટ ક્રાઇમ યુનિટ કામ પર છે અને વિભાગ સ્થાનિક સમુદાય સાથે કામ કરી રહ્યું છે.” ડ્રાઇવ બાય શૂટિંગ કરવામાં આવ્યું હતું. એક વાદળી રંગના વાહનની ઓળખ કરવામાં આવી છે, જે પાંચ લોકો પર ગોળીબાર કર્યા બાદ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

લોકો જમવા માટે ચર્ચા કરી રહ્યા હતા

ટોરોન્ટો પોલીસ ઓપરેશન્સ (ટીપીએસ)એ ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે, “તમામ ઇજાઓ ગંભીર છે પરંતુ કોઈના જીવને કોઈ ખતરો નથી.” પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતોની ઉંમર 28 થી 35 વર્ષની વચ્ચે હતી. અને તેને ગોળી મારવામાં આવે તે પહેલા તેઓ જમવા ક્યાં જવું તેની ચર્ચા કરી રહ્યા હતા. ટોરોન્ટો સ્ટાર અનુસાર, ઘાયલોમાંથી બેને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે બેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઈજાગ્રસ્તોમાંથી એક સ્વ-દવા માટે હોસ્પિટલમાં ગયો છે. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે કેસીંગમાંથી કાણાં અને ગોળી મળી આવી છે.

અગાઉ પણ લોકો પર હુમલા થયા હતા

ટીપીએસએ કહ્યું, ‘શંકાસ્પદ વાદળી કારમાં તેઓ ભાગી ગયા છે.’ કેનેડામાં ગોળીબારની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. એક મહિના કરતા પણ ઓછા સમય પહેલા એક 24 વર્ષીય વ્યક્તિની મસ્જિદ પર હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA)માંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. મિસિસોગામાં અલ-તૌહીદ સેન્ટર પર જ્યારે લોકો સવારની નમાજ માટે એકઠા થયા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. પીલ પ્રાદેશિક પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હુમલાખોરોએ બિયર સ્પ્રે વડે હુમલો કર્યો હતો. ઘટના સમયે લગભગ 30 લોકો ત્યાં હાજર હતા. પોલીસના આગમન પહેલા જ મસ્જિદના લોકોએ હુમલાખોરને પકડી લીધો હતો. પોલીસે હુમલાના સંબંધમાં મિસિસોગાના રહેવાસી મોહમ્મદ મોઈસ ઉમરની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Defense Recruitment 2022: રક્ષા મંત્રાલયે દ્વારા 24 જગ્યા માટે બહાર પાડવામાં આવી ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: CBSE single board exam: CBSE બોર્ડની પરીક્ષા આગામી સત્રથી માત્ર એક જ વાર લેવામાં આવશે, જાણો કેવો રહેશે 10-12નો અભ્યાસક્રમ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">