AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડાના ટોરોન્ટોમાં મસ્જિદની બહાર ઉભેલા લોકો પર હુમલો, વાહનમાંથી હુમલાખોરોએ ચલાવી ગોળીઓ, ઓછામાં ઓછા પાંચ લોકો થયા ઘાયલ

કેનેડાના ટોરોન્ટોમાં એક મસ્જિદની બહાર ભીષણ ગોળીબારના સમાચાર સામે આવ્યા છે. અહીંની મસ્જિદના પાર્કિંગ એરિયામાં કારમાં આવેલા કેટલાક અજાણ્યા હુમલાખોરોએ લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા.

કેનેડાના ટોરોન્ટોમાં મસ્જિદની બહાર ઉભેલા લોકો પર હુમલો, વાહનમાંથી હુમલાખોરોએ ચલાવી ગોળીઓ, ઓછામાં ઓછા પાંચ લોકો થયા ઘાયલ
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 3:13 PM
Share

Canada Mosque Shooting: કેનેડાના ટોરોન્ટોમાં એક મસ્જિદની બહાર ભીષણ ગોળીબારના (Toronto Mosque Shooting) સમાચાર સામે આવ્યા છે. અહીંની મસ્જિદના પાર્કિંગ એરિયામાં કારમાં આવેલા કેટલાક અજાણ્યા હુમલાખોરોએ લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા. પીડિતો રાત્રે રમઝાનની નમાજ પછી મસ્જિદમાંથી (Mosque) બહાર આવ્યા હતા અને સવારે 1 વાગ્યાની આસપાસ પાર્કિંગ એરિયામાં ભેગા થયા હતા. ત્યારબાદ હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના ટોરોન્ટોના (Toronto) સ્કારબોરો વિસ્તારની છે. હુમલા પાછળનું કારણ પોલીસ હજુ સુધી જાણી શકી નથી.

પોલીસે પત્રકારોને જણાવ્યું હતું કે તે “હિંસાની અચાનક ઘટના” હોઈ શકે છે. ટોરોન્ટોના પોલીસ વડા જેમ્સ રેમરે ટ્વિટર પર જણાવ્યું હતું કે “ઘટના પાછળનો હેતુ શું હતો તે કહેવું ખૂબ જ વહેલું છે પરંતુ હેટ ક્રાઇમ યુનિટ કામ પર છે અને વિભાગ સ્થાનિક સમુદાય સાથે કામ કરી રહ્યું છે.” ડ્રાઇવ બાય શૂટિંગ કરવામાં આવ્યું હતું. એક વાદળી રંગના વાહનની ઓળખ કરવામાં આવી છે, જે પાંચ લોકો પર ગોળીબાર કર્યા બાદ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

લોકો જમવા માટે ચર્ચા કરી રહ્યા હતા

ટોરોન્ટો પોલીસ ઓપરેશન્સ (ટીપીએસ)એ ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે, “તમામ ઇજાઓ ગંભીર છે પરંતુ કોઈના જીવને કોઈ ખતરો નથી.” પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતોની ઉંમર 28 થી 35 વર્ષની વચ્ચે હતી. અને તેને ગોળી મારવામાં આવે તે પહેલા તેઓ જમવા ક્યાં જવું તેની ચર્ચા કરી રહ્યા હતા. ટોરોન્ટો સ્ટાર અનુસાર, ઘાયલોમાંથી બેને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે બેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઈજાગ્રસ્તોમાંથી એક સ્વ-દવા માટે હોસ્પિટલમાં ગયો છે. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે કેસીંગમાંથી કાણાં અને ગોળી મળી આવી છે.

અગાઉ પણ લોકો પર હુમલા થયા હતા

ટીપીએસએ કહ્યું, ‘શંકાસ્પદ વાદળી કારમાં તેઓ ભાગી ગયા છે.’ કેનેડામાં ગોળીબારની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. એક મહિના કરતા પણ ઓછા સમય પહેલા એક 24 વર્ષીય વ્યક્તિની મસ્જિદ પર હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA)માંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. મિસિસોગામાં અલ-તૌહીદ સેન્ટર પર જ્યારે લોકો સવારની નમાજ માટે એકઠા થયા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. પીલ પ્રાદેશિક પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હુમલાખોરોએ બિયર સ્પ્રે વડે હુમલો કર્યો હતો. ઘટના સમયે લગભગ 30 લોકો ત્યાં હાજર હતા. પોલીસના આગમન પહેલા જ મસ્જિદના લોકોએ હુમલાખોરને પકડી લીધો હતો. પોલીસે હુમલાના સંબંધમાં મિસિસોગાના રહેવાસી મોહમ્મદ મોઈસ ઉમરની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Defense Recruitment 2022: રક્ષા મંત્રાલયે દ્વારા 24 જગ્યા માટે બહાર પાડવામાં આવી ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: CBSE single board exam: CBSE બોર્ડની પરીક્ષા આગામી સત્રથી માત્ર એક જ વાર લેવામાં આવશે, જાણો કેવો રહેશે 10-12નો અભ્યાસક્રમ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">