ઈરાને દાવો કર્યો કે તેમને મિસાઈલ હુમલામાં અમેરિકાના સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ બાદ ટ્રંપે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું કે ઈરાનના હુમલામાં કોઈ અમેરિકનનો જીવ ગયો નથી. તેઓએ કહ્યું કે ઈરાનનું હવે પતન થઈ રહ્યું છે અને તે દુનિયા માટે યોગ્ય છે.
આ પણ વાંચો : ઈરાન અને અમેરિકાનું યુદ્ધ થાય તો ભારતની માથે છે આ 5 મોટા ખતરા, વાંચો વિગત
આ સિવાય ટ્રંપે કહ્યું કે છે જ્યાં સુધી તેઓ છે ત્યાં સુધી ઈરાન પરમાણુ રાષ્ટ્ર બની શકશે નહીં. ઈરાનને આતંકવાદ છોડવો જ પડશે. અમે ઈરાનની સાથે એવી સંઘિ કરીશું કે જેના લીધે દુનિયામાં શાંતિ જળવાઈ રહે. ઈરાન દ્વારા દુનિયામાં વધી રહેલાં ટેરર કેમ્પઈનને આગળ વધવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં. ઈરાન આતંકવાદના રસ્તે પર ઉતરી ગયું છે અને પરમાણુના આધારે આખા વિસ્તારને નર્કમાં ફેરવી દેવા ઈચ્છે છે. આ સિવાય અમેરિકાએ કહ્યું કે અમે અમારી શક્તિનો ઉપયોગ કરવા નથી માગતા. અમારી સેના અને અમારી વ્યવસ્થા અલગ સ્થિતિમાં છે. અમારી પાસે જે મિસાઈલો છે તેનું નિશાન સટ્ટીક છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો