Yemen Kidnapping: યમનમાં અલકાયદાના આતંકવાદીઓએ યુએનના 5 કર્મચારીઓનું અપહરણ કર્યુ, અજ્ઞાત સ્થળે લઈ જવાયા

|

Feb 13, 2022 | 12:02 PM

અલ કાયદાના શંકાસ્પદ આતંકવાદીઓએ યમનમાં યુએન કર્મચારીઓનું અપહરણ કર્યું છે. આ લોકો હથિયારો સાથે આવ્યા હતા, અને બધાને અપહરણ કરીને અજાણ્યા સ્થળે લઈ ગયા હતા.

Yemen Kidnapping: યમનમાં અલકાયદાના આતંકવાદીઓએ યુએનના 5 કર્મચારીઓનું અપહરણ કર્યુ, અજ્ઞાત સ્થળે લઈ જવાયા
Al Qaeda terrorists ( File photo)

Follow us on

અલ કાયદાના શંકાસ્પદ આતંકવાદીઓએ (Al Qaeda Terrorists) દક્ષિણ યમનમાં (Yemen) સંયુક્ત રાષ્ટ્રના પાંચ કર્મચારીઓનું અપહરણ કર્યું છે. યમનના અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કર્મચારીનું અપહરણ કરીને શુક્રવારે મોડી રાત્રે દક્ષિણી પ્રાંત અબયાનમાં અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમાં ચાર યમન અને એક વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે. તેમની સલામત મુક્તિ માટેના પ્રયાસો તેજ કર્યા છે.

અપહરણ અંગેના પ્રશ્નના જવાબમાં યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે “અમે આ બાબતથી વાકેફ છીએ, પરંતુ કેટલાક કારણોસર તેના પર ટિપ્પણી કરી રહ્યા નથી.” તેણે વિસ્તૃત માહિતી આપી ન હતી. તે જ સમયે, દેશના આદિવાસી નેતાઓએ કહ્યું કે તેઓ કર્મચારીઓની મુક્તિ માટે અપહરણકર્તાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાઇજેકરોએ ખંડણીની માંગણી કરી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર દ્વારા જેલમાં બંધ કેટલાક આતંકવાદીઓની મુક્તિની માંગણી કરી છે.

સશસ્ત્ર માણસોએ કર્યા અપહરણ

યમન સરકારે પુષ્ટિ કરી કે યુએન સુરક્ષા અને સંરક્ષણ વિભાગના કર્મચારીઓનું અજાણ્યા સશસ્ત્ર માણસો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જેના કારણે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર સત્તામાં નથી. હુથીઓએ દેશના ઘણા વિસ્તારો પર કબજો કરી લીધો છે. જેના કારણે અન્ય ઘણા આતંકી સંગઠનોએ પણ અહીં પગ પછાડ્યા છે. તેઓ લોકોનું અપહરણ કરી રહ્યા છે અને સતત આતંક ફેલાવી રહ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સાઉદી અરેબિયા 2015થી હુથીઓ સામે લડી રહ્યું છે

યમનમાં સાઉદીની આગેવાની હેઠળનું લશ્કરી ગઠબંધન 2015થી ઈરાન તરફી હુથી બળવાખોરો સાથે યુદ્ધ લડી રહ્યું છે. આ ગઠબંધને 2015માં યમનમાં ચાલી રહેલા યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો હતો. ત્યારબાદ હુથીઓએ રાજધાની સના પર કબજો કરી સરકારને સત્તા પરથી હટાવી દીધી. આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે અને લાખો લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. યમનમાં તેના કારણે મોટી માનવતાવાદી આપત્તિ સર્જાઈ છે. લોકો પાસે ન ખાવા માટે પૈસા છે કે ન રોજગાર. તેમને અન્ય દેશોમાં આશરો લેવો પડે છે.

આ પણ વાંચો : Inhaled Vaccine: શ્વાસ દ્વારા કેવી રીતે આપવામાં આવે છે કોરોનાની નવી વેક્સિન? કેવી રીતે કરશે કામ, જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો : Maharashtra Car Accident: અહમદનગરમાં ગમખ્વાર અકસ્માત, શેરડી ભરેલા ટ્રેલર સાથે અથડાઈ કાર, ત્રણ મિત્રોના થયા મોત

Next Article