એર સ્ટ્રાઇક પર પાકિસ્તાન ઉઘાડું પડ્યું, બાલાકોટના સ્થાનિક લોકોએ જ આપી તમામ માહિતી, આતંકવાદી જ નહીં પાક. સેનાના જવાનોના પણ થયા છે મોત

|

Mar 12, 2019 | 2:23 AM

પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકના કારણે પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ નેસ્તોમાબુદ કરી દીધા હતાં.જેમાં ન માત્ર આતંકીઓ પરંતુ પાકિસ્તાની સેનાના જવાનોને પણ સ્ટ્રાઈક ભારે પડી ગઈ છે. આ અંગે એક ટીવી ચેનલ દ્વારા કરવામાં આવેલા ખુલ્લાસામાં જણાવા મળ્યું છે. એર સ્ટ્રાઇક પર બાલાકોટના રહેવાસીઓ અને પોલીસકર્મીઓએ […]

એર સ્ટ્રાઇક પર પાકિસ્તાન ઉઘાડું પડ્યું, બાલાકોટના સ્થાનિક લોકોએ જ આપી તમામ માહિતી, આતંકવાદી જ નહીં પાક. સેનાના જવાનોના પણ થયા છે મોત

Follow us on

પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકના કારણે પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ નેસ્તોમાબુદ કરી દીધા હતાં.જેમાં ન માત્ર આતંકીઓ પરંતુ પાકિસ્તાની સેનાના જવાનોને પણ સ્ટ્રાઈક ભારે પડી ગઈ છે.

આ અંગે એક ટીવી ચેનલ દ્વારા કરવામાં આવેલા ખુલ્લાસામાં જણાવા મળ્યું છે. એર સ્ટ્રાઇક પર બાલાકોટના રહેવાસીઓ અને પોલીસકર્મીઓએ આ વાતનો સ્વીકાર કર્યો છે. તેઓ સ્પષ્ટ રીતે કબુલે છે કે, 26 ફેબ્રુઆરીની રાત્રે ભારતીય સેનાએ માત્ર આતંકવાદી ઠેકાણાઓ પર જ બોમ્બ નહોતા વરસાવ્યા પણ આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના જવાનોના પણ મૃત્યું થયા હતાં.

મોહમ્મદ નદીમ સાથે ફોન પર વાત 

જે સાથે જ પાકિસ્તાનમાં ત્યાંની સરકારના દાવાઓ વિરૂદ્ધ હજી પણ જૈશ પોતાની આતંકવાદી ગતિવિધિઓ ચલાવી રહ્યું છે. તેની માહિતી મળી રહી છે. ચેનલના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે બાલાકોટમાં આવેલી મસ્જિદમાં કામ કરનારા મોહમ્મદ નદીમે એક અંડર કવર એજન્ટને ફોન પર જણાવ્યું હતું કે, ભારતની એર સ્ટ્રાઈકમાં અનેક પાકિસ્તાની સૈનિકોના પણ મોત નિપજ્યા છે. નદીમે ફોન પર કહ્યુ છે કે, હું સહરીની નૂર મસ્જિદમાંથી બોલી રહ્યો છુ.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2019: 15 મુદ્દા જેના પર જ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો માંગશે દેશ પાસે મત

નદીમે પોતાની ઓળખ પણ જાહેર કરી હતી. નદીમને સવાલ કરવામાં આવ્યા હતાં. ભારતની સ્ટ્રાઈકમાં એર સ્ટ્રાઈકમાં કેટલા લોકો માર્યા ગયાં? જવાબ આપતા નદીમે કહ્યું હતું કે, મેં જે જોયું અને વાંચ્યુ તેમાં તો પાકિસ્તાની સેનાના 4-5 જવાનોના પણ મોત થયા છે. શું તુ ખાતરીપૂર્વક આમ કહી રહ્યો છે ? તો જવાબમાં નદીમે કહ્યું હતું કે, હા, બિલકુલ. બાલાકોટમાં નદીમની વાત પર એ બાબત તો સ્પષ્ટ થાય છે કે, જૈશના આતંકી કેમ્પોને પાકિસ્તાની સેના સંરક્ષણ પુરૂ પાડતી હતી.

 

બાલાકોટ નજીક આવેલા ઈમામે પણ વાત સ્વીકારી

તો બીજી તરફ બાલાકોટની નજીક આવેલી એક મસ્જિદના ઈમામ રહેમાને ફોન પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકને કયામત નો મંજર ગણાવી હતી. આ ઈમામે પણ આતંકી કેમ્પો નાશ પામ્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. રહેમાને કહ્યું હતું કે, એક ઈમારત ધસી પડી. અડધી રાત્રે આ હુમલાથી બધા જ જાગી ગયા હતાં. વિસ્ફોટનો અવાજ એટલો તે વધારે હતો કે સૌ કોઈ ઉંઘમાંથી ઉઠીને પોત પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતાં. ઈમામે એમ પણ જણાવ્યું હતું કે અહીં 4 બોમ્બ વિસ્ફોટો થયા. જેને પગલે સૌ કોઈનામાં ફફડાટ હતો. આ એક કયામતનો મંજર હતો.

પોલીસકર્મીને ચૂપ રહેવા માટે આપી હતી સૂચના

તેમજ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં એક પોલીસકર્મીને એ જગ્યાની સુરક્ષાની જવાબાદારી મળી હતી, જ્યાં પાકિસ્તાની વાયુસેનાનું F-16એ તોડી પાડ્યું હતું. ભારતીય વાયુસેનાના જાંબાજ પાયલટ અભિનંદને પોતાના જુના પુરાણા મિગ-21 વડે પાકિસાનના અધ્યતન F-16 વિમાનને તોડી પાડ્યું હતું. જોકે પાકિસ્તાન આ વાતને પણ નકારતું આવ્યુ છે.

પાકિસ્તાનના ભિમ્બરમાં એક પોલીસકર્મીએ જ આખી ઘટનાની પોલ ખોલી નાખતાં જણાવ્યું કે, તેને પાકિસ્તાની સેનાએ કડક સૂચના આપી હતી કે ક્રેસ થયેલા પાકિસ્તાની યુદ્ધ વિમાનની કોઈ જ જાણકારી સામે ના આવવી જોઈએ. પોલીસકર્મીએ જ જણાવ્યું હતું કે, આ કડક સૂચના સેનાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પોલીસના વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article