પુલવામા હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે નિવેદનો ચાલી રહ્યા છે. ત્યારે પાકિસ્તાન સરકાર પર ભયનો માહોલ છે. જેના કારણે પાકિસ્તાન દ્વારા આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના વડા મસૂદ અઝહરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પાકિસ્તાન ગૃહ મંત્રાલયના એક પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બહાવલપુરમાં આવેલા પ્રતિબંધિત સંગઠનનું જૈશ-એ-મહોમ્મદ મુખ્યાલયને પંજાબ સરકાર દ્વારા પોતાના કંટ્રોલમાં લઇ લેવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે મસૂદ અઝહર અહીં જ છુપાયેલો છે અને પાકિસ્તાનને ભારતના પગલાંનો ભય સતાવી રહ્યો છે.
The Government of Punjab has taken over the control of a campus comprising Madressatul Sabir and Jama-e-Masjid Subhanallah in Bahawalpur: Spokesman of the Ministry of Interior
— Govt of Pakistan (@pid_gov) February 22, 2019
આ સાથે એવી પણ માહિતી સામે આવી રહી છે કે ભારત દ્વારા કોઇપણ જાતના પગલા લેવાઇ શકે તેના ડરથી અહીં સુરક્ષા વધારી દેવામાં આવી છે.પાકિસ્તાનની સરકારે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ ટ્વીટ કરીને માહિતી આપી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા આ કેમ્પસને પોતાના નિયંત્રણમાં લઇ લેવામાં આવ્યું છે, જેમાં મદરસેતુલ શબીર અને જામા-એ-મસ્જિદ સુભાનઅલ્લા પણ છે.
આ પણ વાંચો : આ મહિલાએ પોતાની સોનાની બંગડીઓ વેચીને, શહીદોના પરિવારોને કરીને 13 લાખની મદદ
એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ જૈશના આ મુખ્યાલયને લઇને દરેક પ્રકારના નિર્ણયો પર ધ્યાન રાખવા માટે એક પ્રશાસકની નિયુક્ત કરવામાં આવ્યો છે.
[yop_poll id=1709]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]