યુકેના એક વ્હિસલબ્લોરે આક્ષેપ કર્યો હતો કે, કાબુલ પર બળવાખોરો દ્વારા કબજો મેળવ્યા બાદ વિદેશ કાર્યાલયે અફઘાનિસ્તાનમાં તેના ઘણા સાથીદારોને તાલિબાનની દયા પર છોડી દીધા હતા. તેની પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે આ લોકોને બહાર કાઢવાની ઝુંબેશ નિષ્ક્રિય રહી હતી અને તેને મનસ્વી રીતે હાથ ધરવામાં આવી હતી.
રાફેલ માર્શલે સંસદીય સમિતિને પુરાવામાં જણાવ્યું હતું કે, 21 ઓગસ્ટથી 25 ઓગસ્ટની વચ્ચે ઈમેલ દ્વારા મોકલવામાં આવેલી મદદ માટેની હજારો વિનંતીઓ વાંચી ન હતી. ફોરેન ઑફિસના ભૂતપૂર્વ કર્મચારીએ અનુમાન લગાવ્યું હતું કે યુકે પ્રોગ્રામ હેઠળ દેશ છોડવા માટે અરજી કરનારા અફઘાન નાગરિકોમાંથી માત્ર પાંચ ટકા લોકોને જ મદદ મળી છે. ફોરેન ઓફિસનો આ ભૂતપૂર્વ કર્મચારી મેલ પર આવતા સંદેશાઓ પર નજર રાખવાના કાર્યમાં સામેલ હતો.
હજારો ઈ-મેઈલ વાંચ્યા વગરના
વ્હિસલબ્લોઅરે ફોરેન અફેર્સ સિલેક્ટ કમિટીને લખ્યું હતું કે ઇનબોક્સમાં સામાન્ય રીતે એક સમયે 5,000 થી વધુ ન વાંચેલા ઈમેઈલ હોય છે. જેમાં ઓગસ્ટની શરૂઆતના ઘણા ઈમેઈલનો સમાવેશ થાય છે. તેણે લખ્યું, ‘આ ઈમેલ નિરાશાજનક અને તાત્કાલિક હતા. હું ઘણા શીર્ષકો જોઈને ચોંકી ગયો હતો જેમાં લખ્યું હતું…કૃપા કરીને મારા બાળકોને બચાવો.’ માર્શલે કહ્યું કે પાછળ રહી ગયેલા કેટલાકને તાલિબાન દ્વારા માર્યા ગયા હતા
સરકારે બચાવ કર્યો
યુકેના ભૂતપૂર્વ રાજ્ય સચિવ ડોમિનિક રાબે જેમને સંબંધિત કટોકટીનો સામનો કરવાની ઝુંબેશ પછી ન્યાય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી તે સમયગાળા દરમિયાન તેમની ક્રિયાઓનો બચાવ કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘કેટલીક ટીકાઓ જમીની તથ્યોની બહાર હોય તેવું લાગે છે.
તાલિબાનોએ ટેકઓવર કર્યા પછી વિશ્વભરમાં અભૂતપૂર્વ ઓપરેશનલ દબાણ હતું. આ પછી હજારો લોકો દેશ છોડવા માટે બેતાબ હતા. અમેરિકા, બ્રિટન અને અન્ય સાથીઓએ અફઘાનિસ્તાનમાં તેમના સાથી રહેલા અફઘાન લોકોને બહાર કાઢવા માટે એક મોટું ઓપરેશન શરૂ કર્યું હતું અને આ દરમિયાન ભારે અરાજકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
બ્રિટને પણ અભિયાન ચલાવ્યું
બ્રિટન બે અઠવાડિયામાં 15,000 લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યું હતું. સરકાર કહે છે કે તેણે ત્યારથી 3,000 થી વધુ લોકોને અફઘાનિસ્તાન છોડવામાં મદદ કરી છે. જો કે, સરકાર દ્વારા ઓગસ્ટમાં જાહેર કરાયેલ અફઘાન પુનઃસ્થાપન યોજના, જેનું લક્ષ્ય અન્ય 20,000 લોકોને બ્રિટનમાં લાવવાનું છે. તે હજુ શરૂ થયું નથી.
વિદેશી બાબતોની સમિતિના વડા અને કન્ઝર્વેટિવ સાંસદ ટોમ તુગેન્ધતે જણાવ્યું હતું કે માર્શલની જુબાની “વિદેશ કાર્યાલયના નેતૃત્વ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.”
આ પણ વાંચો : Omicron Variant : ઓમિક્રોનના ભય વચ્ચે WHOએ આપી યુરોપની ચેતવણી, ‘5 થી 14 વર્ષની વયના બાળકોમાં વધ્યું સંક્ર્મણ