World Thyroid Day: નેચરોપેથીમાં થાઈરોઈડની સારવાર, આ 10 પદ્ધતિઓ અપનાવવાથી થશે ફાયદો

|

May 25, 2022 | 8:37 PM

જ્યારે થાઈરોઈડ ગ્રંથિ જરૂરિયાત કરતા વધારે અથવા ઓછા પ્રમાણમાં હોર્મોન્સ છોડે છે, ત્યારે તે હાઈપો-થાઈરોડિઝમ અને હાઈપર-થાઇરોઇડિઝમની સમસ્યા તરફ દોરી જાય છે. લક્ષણોમાં વાળ ખરવા, વજનમાં ઘટાડો અથવા વધારો, થાક અને નબળી ઊંઘનો સમાવેશ થાય છે.

World Thyroid Day: નેચરોપેથીમાં થાઈરોઈડની સારવાર, આ 10 પદ્ધતિઓ અપનાવવાથી થશે ફાયદો
Hypothyroidism

Follow us on

ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાવાની આદતોને કારણે સમગ્ર વિશ્વમાં થાઈરોઇડ રોગના કેસ વધી રહ્યા છે. આ રોગ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળી રહ્યો છે. વિશ્વ થાઈરોઈડ દિવસ 2022 (World Thyroid Day) દર વર્ષે 25 મેના રોજ ઉજવવામાં આવે છે. તેનો હેતુ લોકોને આ રોગ વિશે જાગૃત કરવાનો અને તેનાથી બચવાના ઉપાયો વિશે માહિતી આપવાનો છે. થાઈરોઈડ (Thyroid)ની બીમારી પહેલા મોટી ઉંમરના લોકોને થતી હતી, પરંતુ હવે 30થી 40 વર્ષની ઉંમરના લોકોને પણ આ બીમારી થઈ રહી છે. જ્યારે લોકોને થાઈરોઇડ હોય છે, ત્યારે લોકો તેની દવા જીવનભર ખાય છે. જો કે ડોકટરોનું કહેવું છે કે કેટલીક નેચરોપેથી પદ્ધતિઓ અપનાવીને આ રોગની સારવાર કરી શકાય છે.

જિંદાલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યૂટના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર ડૉક્ટર જી પ્રકાશે જણાવ્યું હતું કે થાઈરોઇડ એક નાની બટરફ્લાય આકારની ગ્રંથિ છે, જે ગરદનની આગળ સ્થિત છે. થાઈરોઈડ ગ્રંથિ હોર્મોન્સ બનાવે છે, જે સમગ્ર શરીરમાં ઉર્જા સ્તર, ચયાપચય, વાળ વૃદ્ધિ, ઊંઘ, સ્ત્રીઓમાં માસિક સ્રાવ અને અન્ય ઘણી બાબતોને અસર કરે છે. જ્યારે થાઈરોઈડ ગ્રંથિ પૂરતા પ્રમાણમાં થાઈરોઈડ હોર્મોન્સ બનાવતી નથી અથવા જરૂરી કરતાં વધુ હોર્મોન્સ છોડે છે, ત્યારે તે હાઈપો-થાઈરોઈડિઝમ અને હાઈપર-થાઈરોઈડિઝમની સમસ્યા તરફ દોરી જાય છે.

સામાન્ય ભાષામાં તેને થાઈરોઈડનો ઘટાડો અને વધારો કહેવાય છે. જેના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થઈ જાય છે. તેના મોટાભાગના લક્ષણો પુરુષો અને સ્ત્રીઓમાં સમાન હોય છે, જોકે આ સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ક્યારેક આ રોગ આનુવંશિક કારણોસર પણ થાય છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

લક્ષણોમાં સતત થાક, વજન વધવું અને ઘટવું, શરીરમાં સોજો આવવો, સાંધાનો દુખાવો, વાળ ખરવા અને વજન ઘટવું. આ લક્ષણો ધીમે ધીમે શરીરમાં આવે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર આ 10 નેચરોપેથી પદ્ધતિઓ અપનાવીને થાઈરોઈડની સમસ્યાનો ઈલાજ કરી શકાય છે.

ખાંડનું સેવન ઓછું કરો

ડૉક્ટરના જણાવ્યા મુજબ વધુ પડતી ખાંડ સ્વાસ્થ્ય માટે ખરાબ છે, પરંતુ તે ખાસ કરીને થાઈરોઈડ અસંતુલનથી પીડાતા લોકો માટે નુકસાનકારક છે. આવી સ્થિતિમાં ખાંડનો ઉપયોગ તમારા આહારમાં ઓછામાં ઓછો કરવો જોઈએ.

ગ્લુટેન ન ખાવું

જવ અને રાઈ જેવા ધાન્યનો ખોરાક ટાળવો જોઈએ. કારણ કે તેઓ શરીરમાં થાઈરોઈડ હોર્મોન્સને નુકસાન પહોંચાડી શકે છે.

તમારા આહારમાં આયોડિન ઉમેરો.

આયોડિન એ મુખ્ય ખનિજ છે, જે થાઈરોઈડ હોર્મોન્સના ઉત્પાદનમાં મદદ કરે છે. તેથી દરિયાઈ શાકભાજી, ઝીંગા, ચીઝ અને દહીં જેવી વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ.

યોગ

યોગ કરવાથી હાઈપોથાઈરોડિઝમ જેવી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. પબમેડમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, 6 મહિના સુધી તેનો અભ્યાસ કરનારાઓ માટે થાઈરોઈડ વધારનારા હોર્મોન્સ અને કોલેસ્ટ્રોલનું સ્તર સુધારી શકાય છે.

હાઈડ્રોથેરાપી

હાઈડ્રોથેરાપી થાઈરોઇડ કાર્યને સુધારી શકે છે અને થાઈરોઇડ એન્ટિબોડીઝ ઘટાડી શકે છે. હાઇડ્રોથેરાપી સંખ્યાબંધ લક્ષણોની સારવાર પણ કરી શકે છે જેમ કે કર્કશતા, ગળવામાં મુશ્કેલી, ગળામાં ગઠ્ઠો અને થાઇરોઇડ નોડ્યુલ્સના કદમાં ઘટાડો.

વિટામિન બી અને સેલેનિયમ

હાઈપોથાઈરોઈડિઝમથી પીડિત લોકો માટે વિટામિન બી ખૂબ જ ફાયદાકારક છે. આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, બીજ, બદામ, આખા અનાજ લેવાથી વિટામિન બી મળે છે.

માલિશ

ઘણા નેચરોપેથી કેન્દ્રોમાં થાઈરોઈડની સારવાર માટે મસાજ કરવામાં આવે છે. આના કારણે થાઈરોઈડ ગ્રંથિનું સંતુલન બરાબર રહે છે અને થાઈરોઈડ વધવા કે ઘટવા જેવી કોઈ સમસ્યા થતી નથી.

એક્યુપંક્ચર

થાઇરોઇડની સારવારમાં એક્યુપંક્ચર ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કોઈ દવાનો ઉપયોગ થતો નથી. તેની સારવારનો ખર્ચ પણ ઓછો થાય છે અને સારા પરિણામ આપે છે.

મડ થેરાપી

મડ થેરાપી એ વિવિધ પ્રકારની બિમારીઓની સારવાર માટેની પ્રાચીન પદ્ધતિ છે. આમાં માટીની પેસ્ટ આખા શરીર પર લગાવવામાં આવે છે. તે થાઈરોઈડને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

Next Article