Rajiv Dixit Health Tips: શું તમે પણ ઠંડુ પાણી પીઓ છો? ઉનાળામાં ઠંડા પાણીના રાજીવ દીક્ષિતે જણાવ્યા ગેરફાયદા, શરીરને પહોંચાડી શકે છે નુકસાન, જુઓ Video

|

Jun 15, 2023 | 11:09 AM

ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવા માટે લોકો લિક્વિડ ડ્રિંક્સનું સેવન કરે છે, જેમાં સામાન્ય પાણીની સાથે-સાથે લોકો લસ્સી, જ્યૂસ અને નારિયેળ પાણી સહિત વિવિધ પ્રકારના પીણાંનું સેવન કરે છે.

Rajiv Dixit Health Tips: શું તમે પણ ઠંડુ પાણી પીઓ છો? ઉનાળામાં ઠંડા પાણીના રાજીવ દીક્ષિતે જણાવ્યા ગેરફાયદા, શરીરને પહોંચાડી શકે છે નુકસાન, જુઓ Video

Follow us on

ઉનાળાની ઋતુમાં તડકામાંથી આવી ઠંડુ પાણી પીવાથી લોકોને ગરમીથી રાહત મળે છે. ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવા માટે લોકો લિક્વિડનું સેવન કરે છે, જેમાં સામાન્ય પાણીની સાથે-સાથે લોકો લસ્સી, જ્યૂસ અને નારિયેળ પાણી સહિત વિવિધ પ્રકારના પીણાંનું સેવન કરે છે. નિષ્ણાતોના મતે હાઇડ્રેટ રહેવા માટે ઓછામાં ઓછું આઠથી 10 ગ્લાસ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમને અનેક રોગોના ઘરેલુ ઉપાય જણાવ્યા છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: શું તમે પણ ખાવ છો કાચી ડુંગળી તો અનેક સમસ્યાથી મળશે રાહત, રાજીવ દીક્ષિતે જણાવ્યા અનેક ફાયદા

પાણી પીતી વખતે યોગ્ય તાપમાન હોવું પણ જરૂરી છે. પાણીનું તાપમાન આરોગ્ય પર અસર કરે છે. ઉનાળામાં લોકો ફ્રીજનું પાણી પીવે છે કારણ કે તેઓ ઠંડુ પાણી પીવા માંગે છે. તરસ છીપાવવા અને થાક દૂર કરવા માટે લોકો ગમે ત્યારે ઠંડુ પાણી પીવે છે, ભલે તે થોડા સમય માટે ગરમીથી રાહત આપે છે, પરંતુ તેનાથી ઘણું નુકસાન પણ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આયુર્વેદમાં ઠંડા પાણીને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવ્યું છે. ખાસ કરીને ફ્રીજમાંથી ઠંડુ કરેલું પાણી બિલકુલ ન પીવું જોઈએ. તડકામાંથી આવ્યા પછી, કસરત કર્યા પછી અથવા જમ્યા પછી ઠંડુ પાણી પીવાથી શરીર પર ખરાબ અસર પડે છે. જો તમે પણ ઉનાળામાં ખોટા સમયે અને ખોટી રીતે ઠંડા પાણીનું સેવન કરો છો તો જાણી લો તમારા સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે.

 

 

પાચન પર અસર

શરીર કોઈપણ પદાર્થને તેના તાપમાન પર લાવે છે, જેને તે પાચન માટે મોકલે છે, પરંતુ ખૂબ જ ઓછા તાપમાનની વસ્તુઓ ખાવાથી, શરીર તેના તાપમાન અનુસાર તે કરવાનું શરૂ કરે છે, જેનાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને અપચો થાય છે. પેટમાં ઠંડુ પાણી પાચનતંત્રને અસર કરે છે. સંશોધન મુજબ, ઠંડુ પાણી રક્તવાહિનીઓને સંકોચાય છે, જેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થાય છે.

ગળામાં દુખાવો

ઘણીવાર, ગળામાં દુખાવો અથવા અવાજમાં ફેરફાર પર, વડીલો કહે છે કે તેઓએ ઠંડુ પાણી પીધું જ હશે. આ પણ સાચું છે, ઠંડુ પાણી પીવાથી ગળામાં દુખાવો થાય છે. ફ્રીજમાંથી ઠંડુ પાણી પીધા પછી આવી સમસ્યા થવી સામાન્ય વાત છે. બીજી તરફ, જો તમે જમ્યા પછી ઠંડુ પાણી પીવો છો, તો લાળ બનવાનું શરૂ થાય છે અને શ્વાસ નળી બંધ થઈ જાય છે. જેના કારણે ગળામાં ખરાશ, લાળ, શરદી અને ગળામાં સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

હૃદયના ધબકારા પર અસર

ઠંડા પાણી પીવાથી તમારા શરીરના ધબકારા પણ ઘટી શકે છે. એક અભ્યાસ મુજબ, ફ્રીજનું ઠંડુ પાણી વધુ પીવાથી દસમી ક્રેનિયલ નર્વ (વૅગસ નર્વ) ઉત્તેજિત થાય છે. નર્વ શરીરના અનૈચ્છિક કાર્યોને નિયંત્રિત કરવાનું કામ કરે છે. નીચા તાપમાનના પાણીની અસર સીધી વેગસ નર્વ પર પડે છે, જેના કારણે હૃદયના ધબકારા ઘટી જાય છે.

માથાના દુખાવાની સમસ્યા

જો તમે તડકામાંથી આવ્યા પછી તરત જ ખૂબ ઠંડુ પાણી અથવા બરફનું પાણી પીતા હો તો બ્રેઈન ફ્રીઝ થઈ શકે છે. ઠંડા પાણીનું સેવન કરવાથી તમારી કરોડરજ્જુની ઘણી નસો ઠંડી પડી શકે છે, જે મગજને અસર કરે છે અને માથાનો દુખાવો થાય છે. આ સ્થિતિ સાઇનસની સમસ્યાથી પીડિત લોકોની સમસ્યા વધારી શકે છે.

વજન ઘટાડવાની સમસ્યા

જે લોકોએ વજન ઓછું કરવું હોય તેમણે ઠંડા પાણીનું સેવન ન કરવું જોઈએ. ઠંડા પાણીના કારણે શરીરમાં રહેલી ચરબીને ઓછી કરવામાં મુશ્કેલ બની જાય છે. ફ્રિજના પાણીથી શરીરની ચરબી સખત થઈ જાય છે, જેના કારણે ચરબી ઘટાડવામાં સમસ્યા થાય છે અને વજન ઘટતું નથી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગે સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:00 am, Sun, 14 May 23

Next Article