AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બદામ-અખરોટના ગુણ મળશે એકદમ સસ્તામાં, જાણો આ ખાસ પ્રકારના Butter અને તેના ફાયદા વિશે

પીનટ બટરનું નામ સાંભળીને તમને સામાન્ય માખણ જેવું લાગશે, પરંતુ હકીકતમાં તેના ગુણધર્મો સામાન્ય માખણથી સંપૂર્ણપણે અલગ છે. પીનટ બટર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જાણો તેના ફાયદા.

બદામ-અખરોટના ગુણ મળશે એકદમ સસ્તામાં, જાણો આ ખાસ પ્રકારના Butter અને તેના ફાયદા વિશે
Peanut butter is as beneficial as almond-nut
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 7:48 AM
Share

પીનટ બટર (Peanut Butter) ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે મગફળીને પીસીને અથવા શેકીને તૈયાર કરવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે તેમાં ન તો ખાંડ હોય છે અને ન તો કોઈ પ્રકારની ખરાબ ચરબી. પીનટ બટર પ્રોટીનનો સારો સ્રોત છે.

હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે જો તમે બદામ, અખરોટ જેવા મોંઘા ડ્રાય ફ્રુટ્સ ન ખાઈ શકો તો તમારે પીનટ બટરનું સેવન કરવું જોઈએ કારણ કે તેના ફાયદા આ ડ્રાય ફ્રુટ્સથી ઓછા નથી. તમામ દેશોમાં ફિટનેસ પસંદ કરનારા લોકો આજકાલ પીનટ બટરને ખૂબ પસંદ કરે છે. જાણો તેના આશ્ચર્યજનક ફાયદાઓ.

ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે

સામાન્ય રીતે માખણનું સેવન તમારું વજન અને ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે, પરંતુ પીનટ બટર તમારા વજનને ઘટાડવામાં તેમજ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી માનવામાં આવે છે. એક ચમચી ઓર્ગેનિક પીનટ બટરમાં લગભગ 100 કેલરી હોય છે, આ કેલરી મોનો-અનસેચ્યુરેટેડ ચરબીના રૂપમાં હોય છે. મોનો-અનસેચ્યુરેટેડ ચરબી તમારા વજનમાં વધારો અને હૃદય રોગનું જોખમ અટકાવે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. પીનટ બટર હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે.

પ્રોટીનની ઉણપ પૂરી કરે છે

જો તમે દરરોજ કઠોળ વગેરે ખાવા માટે સક્ષમ નથી, તો તમારે પીનટ બટર ખાવું જોઈએ. 100 ગ્રામ પીનટ બટરમાં 25 ગ્રામથી વધુ પ્રોટીન હોય છે. આવી સ્થિતિમાં, તેનું સેવન કરીને તમે તમારા શરીરમાં પ્રોટીનની કમી પૂરી કરી શકો છો. પીનટ બટર એ લોકો માટે સારો વિકલ્પ છે જીમ જાય છે અને પ્રોટીન આહાર પર ઘણા પૈસા ખર્ચ કરે છે.

આંખના સારા સ્વાસ્થ્ય માટે

આજકાલ લોકો દરેક સમયે લેપટોપ કે મોબાઈલ પર વ્યસ્ત રહે છે. આવી સ્થિતિમાં આંખો ખૂબ થાકી જાય છે અને તેની ખરાબ અસર પડે છે. જો તમને આંખનું સારું સ્વાસ્થ્ય જોઈએ છે તો ચોક્કસપણે પીનટ બટર ખાઓ. તેમાં હાજર વિટામિન A તમારી આંખો માટે ખૂબ સારું માનવામાં આવે છે.

પાચન તંત્ર જાળવે છે

પીનટ બટર ઉચ્ચ ફાઇબરનો સ્ત્રોત છે. તેના સેવનથી પાચન તંત્ર મજબૂત બને છે અને તમારી પાચન પ્રણાલી વધુ સારી રીતે પોતાનું કામ કરી શકે છે. પાચન તંત્રની સારી કામગીરીને કારણે તમારું શરીર તમામ રોગોથી બચી જાય છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, સાથે જ શરીરને પુષ્કળ ઉર્જા પણ મળે છે.

બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડે છે

તમને જાણીને આશ્ચર્ય થશે કે પીનટ બટર મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે. બ્રેસ્ટ કેન્સર રિસર્ચ એન્ડ ટ્રીટમેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે 9 થી 15 વર્ષની છોકરીઓ દરરોજ પીનટ બટરનું સેવન કર્યું. આ સાથે, તેમને 30 વર્ષની ઉંમર સુધીમાં સ્તન કેન્સર થવાનું જોખમ 39 ટકા ઓછું હતું.

આ પણ વાંચો: Health Tips: અનેક સ્વાસ્થ્યલક્ષી ગુણધર્મોના ખજાનાથી ભરપૂર છે સીતાફળ

આ પણ વાંચો : Health Tips : રડવું પણ સ્વાસ્થ્ય માટે લાભદાયક ! હસવાની જેમ રડવાના પણ જાણો ફાયદા

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">