
આપણી લાઈફસ્ટાઈલમાં સામેલ દરેક નાની-નાની વસ્તુઓ આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. સ્વસ્થ રહેવાની સાથે-સાથે બીમારીઓથી બચવા માટે તમારા આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. યુવાનીમાં, શરીર મજબૂત અને સ્વસ્થ રહે છે, પરંતુ 30 વર્ષની ઉંમરને પાર કર્યા પછી, શરીરમાં ઘણી સમસ્યાઓ દેખાવા લાગે છે. આરોગ્ય નિષ્ણાતો પણ હંમેશા સલાહ આપે છે કે અકાળે વૃદ્ધત્વને રોકવા માટે, વ્યક્તિએ તણાવ, આહાર, કસરત અને ઊંઘની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ.
30 વર્ષની ઉંમરે તમે તમારા સ્વાસ્થ્યની કેવી રીતે કાળજી લો છો તે નક્કી કરે છે કે આગામી 10 થી 12 વર્ષ તમારા માટે કેવા રહેશે. આવો અમે તમને જણાવીએ કે આ ઉંમરે તમારો ડાયટ પ્લાન કેવો હોવો જોઈએ.
તમારા આહારમાં ફાઈબરનો સમાવેશ કરવાથી હૃદય રોગ, ટાઈપ 2 ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, શરીરને દરરોજ ઓછામાં ઓછું 30 ગ્રામ ફાઈબર મળવું જોઈએ. તેથી, તમારા આહારમાં ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો.
ઓમેગા-3 ફેટી એસિડ મગજને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. તે મૂડ સુધારવા, આયુષ્ય વધારવા તેમજ કાર્ડિયોવેસ્ક્યુલર રોગના જોખમને ઘટાડવામાં મદદરૂપ છે. તમે બદામ અને ચિયાના બીજ પણ ખાઈ શકો છો.
શરીરમાં હાડકાંની કાળજી લેવી પણ જરૂરી છે. 30 વર્ષની ઉંમર પછી હાડકાં થોડા નબળા થવા લાગે છે. આ ઉંમરે દૂધ, દહીં, પનીર, બ્રોકોલી, પાલક અને બદામ જેવા ઉચ્ચ કેલ્શિયમવાળા ખોરાક ખાવા જોઈએ.
સ્નાયુઓના ગ્રોથ માટે પણ પ્રોટીન જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ,30 વર્ષની ઉંમર પછી શરીરને તેની જરૂર પડે છે. તમને જણાવી દઈએ કે, પુરુષોએ દરરોજ ઓછામાં ઓછું 55 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ અને મહિલાઓએ દરરોજ 45 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ. તમારા આહારમાં દૂધ, કઠોળ અને સોયાબીન જેવી વસ્તુઓનો સમાવેશ કરો.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો