આપણે રોજીંદા જીવનમાં શરીર માટે ખાંડનો ઉપયોગ કોઈને કોઈ રીતે કરતા હોઇએ છીએ. ચા, કોફી કે મીઠાઈઓ હોય આપણે રોજ ખાંડને ખોરાકમાં લઇએ છીએ પરંતુ જો લાંબા સમય સુધી આપણે સુગરને ખોરાકમાં ન લઇએ તો શરીરમાં કેટલાક ફેરફાર થઇ શકે છે. સુગરને ખોરાકમાં લેવાનું બંધ કરી દેવામાં આવે તો સ્વાસ્થ્ય માટે હાનીકારક બની શકે છે.
ડાયટીંગ કરતા અનેક લોકો ખોરાકમાં સુગરને દુર રાખતા હોય છે. જો કે આવી સ્થિતિ લાંબા સમય સુધી રાખવી અયોગ્ય છે. ખોરાકમાં અમુક માત્રામાં અને યોગ્ય ખાંડ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે.
ખાંડથી ફાયદા અને ગેરફાયદા
સામાન્ય રીતે ખાંડ બે પ્રકારની હોય છે. એક શુદ્ધ ખાંડ અને એક કુદરતી ખાંડ. આમાં, કુદરતી ખાંડ તમારા શરીર માટે જરૂરી છે અને તે ઊર્જાના સ્તરને જાળવી રાખે છે. તેમજ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ જાળવી રાખે છે. બીજી તરફ રિફાઈન્ડ સુગર તમારા શરીરને ઘણી રીતે નુકસાન પણ કરે છે.
શરીરમાં શુ ફેરફાર થાય છે ?
ખાંડ છોડવાથી શરીરમાં કેટલાક ફેરફાર થાય છે. ઘણા અભ્યાસોમાં એ વાત સામે આવી છે કે સુગરને સંપૂર્ણપણે છોડી દીધા બાદ ડ્રગ્સ છોડી દીધુ હોય તે પ્રકારનો અહેસાસ થાય છે. આ કારણે તમારા શરીરમાં થાક, માથાનો દુખાવો અને ચીડિયાપણું જેવી ફરિયાદો થાય છે. આ સિવાય તમારા પેટ પર પણ તેની અસર પડે છે.
આ રીતે ખાંડમાંથી ફીલ-ગુડ હોર્મોન્સ, ડોપામાઇન અને સેરોટોનિન ઉત્પન્ન થાય છે. સાથે જ તમારા શરીરમાં ઘણી બધી સિસ્ટમ્સ પણ સક્રિય થાય છે, જે શરીર માટે ફાયદાકારક છે. જેથી ખાંડ ખાવાથી તમને સારું લાગે છે. જ્યારે તમે ખાંડ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દો છો, તો ચીડિયાપણું વધવા લાગે છે અને માથાનો દુખાવો સાથે ડિપ્રેશન જેવી સ્થિતિ થાય છે. જો કે, થોડા સમય પછી તમને ફરીથી સારું લાગવા લાગે છે.
આ પણ વાંચોઃ રેલવેનું ડાયમંડ ક્રોસિંગ શું છે કે જે માત્ર ભારતના નાગપુરમાં જ છે ! જાણો તેમાંથી કેવી રીતે પસાર થાય છે ટ્રેન
Published On - 9:23 am, Thu, 11 November 21