Health Tips : વૃદ્ધાવસ્થામાં પણ કેવી રીતે જાળવી રાખશો આરોગ્ય ? વાંચો આ પાંચ ટિપ્સ
ઉંમર વધતા આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડે છે.અહીં અમે તમને જણાવીશું કે ઉંમર વધવાની સાથે વૃદ્ધાવસ્થામાં કઈ ટિપ્સ ફોલો કરીને તમે તમારું આરોગ્ય જાળવી શકો છો ?
Health Tips: હાર્વર્ડ મેડિકલ સ્કૂલના વૈજ્ઞાનિકો(Scientist)એ વૃદ્ધાવસ્થા(Old Age )માં રોગોને રોકવા અને લાંબા સમય સુધી જીવવા માટે 5 આદતો સૂચવી છે. જો આ ટેવોનું ધ્યાન રાખવામાં આવે તો 50 વર્ષની ઉંમર સુધીમાં ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. તેમાં ટાઇપ -2 ડાયાબિટીસ, હૃદયરોગ અને કેન્સર જેવા રોગોનો સમાવેશ થાય છે.
આ સંશોધન હાર્વર્ડ મેડિકલ સ્કૂલ, હાર્વર્ડ ટીએચ ચેન સ્કૂલ ઓફ પબ્લિક સ્કૂલ ઓફ હેલ્થ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સંશોધકોએ 73,196 મહિલાઓનો અભ્યાસ કર્યો. તેમના સંશોધનમાં 38,366 પુરુષોના આરોગ્ય ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંશોધન દર્શાવે છે કે જે પુરુષો 4 થી 5 આદતોનું પાલન કરે છે તેઓ હજુ પણ 50 વર્ષની ઉંમરે ડાયાબિટીસમાંથી સાજા થાય છે.
ધ્યાનમાં રાખવા માટે અહીં પાંચ બાબતો છે.
પૌષ્ટિક આહાર: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વૃદ્ધત્વની અસરોને રોકવામાં આહાર મુખ્ય ભૂમિકા ભજવે છે. યુએસ હેલ્થ એજન્સી સીડીસી અનુસાર, દર 4 મૃત્યુમાંથી એકનું મૃત્યુ હૃદય રોગથી થાય છે. આ ઉપરાંત, સ્થૂળતા, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને કુપોષણ એ રોગો માટે મુખ્ય જોખમ પરિબળો છે. આ જોખમોથી બચવા માટે, આહારમાં શાકભાજી અને ફળોનું પ્રમાણ વધારવું જરૂરી છે.
કસરત: જરૂર મુજબ રોજ 30 મિનિટ કસરત કરો. તે વજન ઘટાડે છે. તે ઘણા રોગોનું જોખમ પણ ઘટાડે છે. તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે વૃદ્ધત્વની અસરને પણ ઘટાડે છે.
BMI: શરીરના વજનને નિયંત્રણમાં રાખો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ પણ કહે છે કે 18.5 થી 24.9 ની વચ્ચે માનવ બોડી માસ ઇન્ડેક્સ (BMI) હોવું એ આદર્શ સ્થિતિ છે. 18.5 થી ઓછી BMI ધરાવતા લોકો ઓછા વજનની શ્રેણીમાં આવે છે. 25 થી વધુના BMI ધરાવતા લોકોને મેદસ્વી કહેવામાં આવે છે.બોડી માસ ઇન્ડેક્સ એ એક માપ છે કે જે જણાવે છે કે વ્યક્તિની હાઈટ અને-ઉંમર પ્રમાણે વજન વધારે છે કે ઓછું છે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્થૂળતા અનેક રોગોનું કારણ બને છે. આવા લોકોને ટાઇપ -2 ડાયાબિટીસ, કેન્સર, શ્વસન સમસ્યાઓ અને પિત્તાશય માટે જોખમ રહે છે.
દારૂ ટાળો: દારૂ પીવાની આદત શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. તે મગજ, હૃદય, યકૃત અને સ્વાદુપિંડ પર પ્રતિકૂળ અસર કરે છે. આલ્કોહોલના સેવનથી અલ્સર, કેન્સર અને હૃદયરોગ જેવા ઘણા ગંભીર રોગો થઈ શકે છે. તેથી દારૂથી દૂર રહેવું વધુ સારું છે.
ધુમ્રપાન ના કરો: સીડીસી અનુસાર, ધૂમ્રપાન કેન્સર, હૃદય રોગ, સ્ટ્રોક, ફેફસાના રોગ અને ડાયાબિટીસનું કારણ બને છે. આ ઉપરાંત, તે ક્ષય રોગ અને આંખના રોગનું જોખમ વધારે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પાડે છે જે શરીરને રોગોથી બચાવે છે. તેથી ધૂમ્રપાન ટાળવું જોઈએ.
આ પણ વાંચો :