સમગ્ર વિશ્વમાં(World ) પ્રદૂષણ સતત વધી રહ્યું છે. આ કારણે દેશના (India )કેટલાક ભાગોમાં ભૂગર્ભ જળ (Water )પણ પીવાલાયક નથી. જલ શક્તિ મંત્રાલય અનુસાર, 18 રાજ્યોમાં 152 જિલ્લાઓ એવા છે જ્યાં ભૂગર્ભજળમાં પ્રતિ લિટર 0.03 મિલિગ્રામથી વધુ યુરેનિયમ મળી આવ્યું છે. 29 રાજ્યોના 491 જિલ્લાના કેટલાક ભાગોમાં ભૂગર્ભજળમાં આયર્નનું પ્રમાણ 1 મિલિગ્રામ પ્રતિ લિટરથી વધુ છે. દરમિયાન, એક નવું સંશોધન બહાર આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે વરસાદનું પાણી હવે વિશ્વના કોઈપણ ભાગમાં પીવાલાયક નથી.
તેનું કારણ વધતા પ્રદૂષણને કારણભૂત ગણવામાં આવ્યું છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો માનવી હવે વરસાદના પાણીનો પીવા માટે ઉપયોગ કરે તો તેને ગંભીર બીમારીઓ થઈ શકે છે. જો કે, લોકોમાં સામાન્ય માન્યતા એવી છે કે વરસાદનું પાણી શુદ્ધ હોય છે. ઘણા વિસ્તારોમાં આ પાણી પીવા માટે પણ વપરાય છે. પરંતુ હવે તમારે તેના વિશે વિચારવું પડશે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે વરસાદના પાણીમાં PFAS જોવા મળે છે. તે એક પ્રકારનું ઝેરી રસાયણ છે. જે અનેક પ્રકારના ખતરનાક રોગોનું કારણ બની શકે છે. દૂષિત પાણી પીવાથી પણ મૃત્યુ થઈ શકે છે.
સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, દુનિયામાં એવી કોઈ જગ્યા બાકી નથી જ્યાં વરસાદનું પાણી પીવા માટે સુરક્ષિત હોય. એન્ટાર્કટિકાથી તિબેટ સુધી વરસાદી પાણીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં વરસાદનું પાણી પીવાના નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતું ન હોવાનું જાણવા મળ્યું છે. આ પાણીમાં અનેક પ્રકારના કેમિકલનું પ્રમાણ નિયત ધોરણો કરતા અનેકગણું વધુ મળી આવ્યું છે.
સંશોધન દર્શાવે છે કે જો વરસાદનું પાણી માનવ શરીરમાં પ્રવેશે છે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. વરસાદના પાણીને દૂષિત કરતું રસાયણ પૃથ્વીના વાતાવરણમાં એટલું ફેલાઈ ગયું છે કે તેનો ક્યારેય અંત આવશે નહીં. એટલે કે ઘણા પ્રયત્નો કર્યા પછી ભલે આવનારા સમયમાં પ્રદુષણ પર કાબુ મેળવી શકાય પરંતુ વરસાદનું પાણી પૃથ્વી પર વસતા લોકો માટે હંમેશા દૂષિત અને ઝેરી જ રહેશે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)