Health: ચા સાથે ક્યારેય ન ખાશો આ ખોરાક, શરીરને થઈ શકે છે ભારે નુકસાન

|

May 25, 2021 | 5:07 PM

ચા પ્રેમી ચા સાથે ઘણા પ્રકારનો નાસ્તો પણ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો ચા સાથે અમુક ખોરાક ખાવાથી થઇ શકે છે ભારે નુકસાન? ચાલો તમને જણાવી દઈએ.

Health: ચા સાથે ક્યારેય ન ખાશો આ ખોરાક, શરીરને થઈ શકે છે ભારે નુકસાન
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

આપણી આજીબાજુ ઘણા ચા રસિયા જોવા મળે છે. ચા પ્રેમીઓ માટે તો ચા પીવાનો કોઈ સાચો સમય નથી, પરંતુ એમના માટે તો જ્યારે ચા મળે ત્યારે સમય સાચો થઇ જતો હોય છે. લોકો દિવસનો થાક દૂર કરવા માટે, દિવસની શરૂઆત માટે, સવારે અને સાંજે એક કપ સારી ચા (Tea) પીતા હોય છે. તેમજ ચા પ્રેમી આખા દિવસમાં ગમે ત્યારે ચા પિતા જોવા મળશે.

કેટલાક લોકોને ચા સાથે બિસ્કિટ અથવા કેટલાક મસાલેદાર નાસ્તા ખાવાની આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચાની સાથે કેટલીક વિશેષ ચીજોનું સેવન કરવાથી તમે બીમાર થઈ શકો છો? ચાની સાથે અમુક પદાર્થોનું સેવન કરવાથી પેટની સમસ્યા (Stomach Problems) થઈ શકે છે. આ ઉપરાંત કબજિયાત અને એસિડિટીનો (Acidity) પણ ભોગ બની શકાય છો. ચાલો તમને જણાવીએ કે ચાની સાથે કઇ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેથી તમારા શરીરને નુકસાનથી બચાવી શકાય.

ચણાના લોટમાંથી બનેલ ખોરાક ન ખાઓ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ચા સાથે ચણાના લોટથી બનેલા નાસ્તા ખાવાનું મોટાભાગના લોકોને ગમતું હોય છે પણ આ આદત સારી નથી. તમને જણાવી દઈએ કે ચાનો લોટ ચા સાથે ખાવાથી શરીરમાં પોષક તત્વો ઓછા થાય છે અને પાચનની સમસ્યા પણ થઈ શકે છે.

કાચા પદાર્થો ના લેશો

ચા સાથે કાચો ખોરાક ને લેવો જોઈએ. ચા સાથે કાચા પદાર્થો ખાવાથી પેટમાં વધુ નુકસાન થાય છે. ચા સાથે સલાડ, ફણગાવેલ અનાજ અને બાફેલા ઇંડા ખાવાનું ટાળો.

ના લેશો ઠંડા પદાર્થ

ચા સાથે અથવા ચા પીધા બાદ કોઈ પણ ઠંડી વસ્તુનું સેવન હાનીકારક છે. તમને જણાવી દઈએ કે ચા બાદ તુરંત પાણી પીવાથી પણ પાચનતંત્ર પર ખરાબ અસર પડી શકે છે. આનાથી ગંભીર એસીડીટી અને પેટની સમસ્યાઓ વધી શકે છે. જો તમારે ઈચ્છા હોય તો ચા પહેલા પાણી પીવું જોઈએ.

ખાટી ચીજોનું સેવન ન કરો

ઘણા લોકો ચામાં લીંબુ નાખીને લેમન ટી બનાવે છે, પરંતુ ચામાં લીંબુનું પ્રમાણ વધુ હોવાને કારણે એસિડિટી, પાચન અને ગેસની સમસ્યા થઈ શકે છે. તો ચાની સાથે ખાટી વસ્તુઓનું સેવન કરવાનું ટાળો. લેમન ટીમાં પણ લીંબુનું પ્રમાણ ઓછું રાખો.

હળદરની વસ્તુઓનું સેવન ન કરો

ચાની સાથે અથવા ચા પીધા પછી તરત જ આવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેમાં હળદળનું પ્રમાણ વધારે હોય. ચા અને હળદરમાં હાજર રાસાયણિક તત્વો એક સાથે પ્રતિક્રિયા આપે છે. જેના કારણે પેટની સમસ્યા પેદા ઠસી શકે છે. તે પાચનતંત્રને પણ નુકસાન પહોંચાડે છે.

 

આ પણ વાંચો: એ ઘટના જ્યારે રાજ કુમારે રામાનંદ સાગરને કહી દીધું હતું, “મારા કૂતરાને પણ તમારી ઓફર મંજુર નથી”

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article