Health: જમ્યા પછી છાશ પીવાથી અને વજ્રાસન કરવાથી વધે છે પાચન, જાણો ફિટ રહેવા માટેની કેટલીક ખાસ ટિપ્સ

|

Dec 17, 2021 | 6:33 PM

છાશ પચવામાં સરળ છે અને એસ્ટ્રિજન્ટ ગુણો ધરાવે છે. તે પાચનમાં સુધારો કરે છે અને કુદરતી રીતે સોજા, બળતરા સામે કામ કરે છે. છાશનો ઉપયોગ એનિમિયા અને ભૂખ ન લાગવામાં પણ મદદ કરી શકે છે.

Health: જમ્યા પછી છાશ પીવાથી અને વજ્રાસન કરવાથી વધે છે પાચન, જાણો ફિટ રહેવા માટેની કેટલીક ખાસ ટિપ્સ
Health Tips to improves digestion (Impact Image)

Follow us on

દરેક વ્યક્તિને સારું ખાવાનો શોખ હોય છે. પરંતુ આપણે જે ખાઈએ છીએ તે જે રીતે પચે છે, શું તે યોગ્ય રીત છે ? જીવનમાં જેટલું મહત્વ સારું ખાવાનું છે એટલું જ મહત્વ પાચનનું છે. તમને જણાવી દઈએ કે સારી પાચન શક્તિ(Digestive power) આપણને સ્વસ્થ(Healthy) રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે.જ્યારે પાચન યોગ્ય રીતે થતું નથી, ત્યારે શરીરમાં ઘણા પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે, જેમ કે કબજિયાત, ત્વચાની સમસ્યાઓ(Skin problems), એનિમિયા(Anemia) જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ(Health problems) થઈ શકે છે.

 

આજના સમયમાં બજારમાં એવી ઘણી વસ્તુઓ છે, જે તમારી પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવાનો દાવો કરે છે.જો કે, પાચનને વધારવા અને આંતરડાની સ્થિતિ સુધારવા માટે કુદરતી ઉપાયોનું પાલન કરવું શ્રેષ્ઠ છે. આયુર્વેદમાં આવા ઘણા કુદરતી ઉપાયો જણાવવામાં આવ્યા છે જે તમારી પાચન તંત્રને સુધારવામાં મદદ કરી શકે છે. જો તમે તમારી દિનચર્યા અને આહારમાં નાના-નાના ફેરફાર કરો છો, તો તમે પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો, તો ચાલો જાણીએ કેટલીક ખાસ ટિપ્સ-

ભોજન પછી વજ્રાસન કરવું

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બપોરના ભોજન પછી વજ્રાસન કરવું ખૂબ જ ફાયદાકારક છે. વજ્રાસનમાં બેસવાથી તમારા પેટમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને પાચન અને શોષણ સરળ બને છે.

બપોરના ભોજન સાથે છાશ લો

જો પાચન સારું જોઈતું હોય તો છાશ પીઓ. છાશ પેટના શીતક તરીકે પ્રોબાયોટિક ફાયદાઓથી ભરપૂર છે અને એસિડિટીના લક્ષણોને દૂર કરવા માટે આદર્શ છે. તે બપોરના ભોજન સાથે લો.

બેમેળ ભોજન ન લો

આયુર્વેદમાં કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેનાથી આપણે દૂર રહેવું જોઈએ. ફળો અને દૂધ, માછલી અને દૂધ, મધ અને ગરમ પાણી, ઠંડા અને ગરમ ખાદ્યપદાર્થો સહિત કેટલાંક એવા ફૂડ કોમ્બિનેશન છે કે જેને એકસાથે ન ખાવા જોઈએ. તેનાથી તમારા પાચનમાં તકલીફ પડી શકે છે.

બદામ પલાળીને ખાઓ

દરેક વ્યક્તિ બદામ સહિતના ડ્રાય ફ્રુટસ ખાય છે, પરંતુ શું તમે જાણો છો કે તેમાં ફાયટીક એસિડ હોય છે જે આપણા આંતરડા માટે તેમાંથી પોષક તત્વોને શોષવાનું મુશ્કેલ બનાવે છે. તેથી, તેને પલાળીને ખાવા જોઈએ, કારણ કે તેને પલાળવાથી ફાયટીક એસિડ દૂર થાય છે અને શરીરમાં સરળતાથી પચી જાય છે. કાચા ખોરાકને યોગ્ય રીતે ચયાપચય કરવા માટે આંતરડાનું સારું સ્વાસ્થ્ય જરૂરી છે. એટલા માટે હંમેશા રાંધેલો ખોરાક ખાવો.

દરરોજ 5000 પગલા ચાલો

ચાલવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. તમે જેટલું વધુ હલનચલન કરો છો, તેટલી જ તમારી પાચન પ્રક્રિયામાં સુધારો થશે. પછી જો તમને કસરત કરવા માટે સમય નથી મળતો, તો તમારે દરરોજ ઓછામાં ઓછા 5000 પગલાં ચાલવા જોઈએ, આ તમારા પાચનને સુધારવામાં મદદ કરશે.

 

આ પણ વાંચોઃ Pushpa: The Rise : અલ્લુ અર્જુનના પુત્રએ ‘પુષ્પા’ માટે પાઠવી ખાસ શુભેચ્છા, એક્ટરએ કહ્યું, ‘તે તો મારા દિવસને સ્પેશિયલ બનાવી દીધો

આ પણ વાંચોઃ  Papaya Farming : ખેડૂતો માટે એલર્ટ! જો પપૈયામાં બિલાડી- કુતરા જેવું બનવા લાગે તો સમજવું કે તમારી કમાણીથી ધોવા પડશે હાથ

Next Article