શરદી, ઉધરસ અને ગળાની ખારાશ દૂર કરવા માટે અજમાવો આ આયુર્વેદિક ટિપ્સ

|

Feb 03, 2022 | 10:14 PM

શરદી-ઉધરસ, ગળામાં ખારાશ (cold, cough and sore throat) માત્ર પરેશાન કરતી નથી, પણ વ્યક્તિને નબળાઈ અને થાકનો અનુભવ કરાવે છે.

શરદી, ઉધરસ અને ગળાની ખારાશ દૂર કરવા માટે અજમાવો આ આયુર્વેદિક ટિપ્સ
try these ayurvedic tips to get rid of cold cough and sore throat

Follow us on

શિયાળાની ઋતુમાં શરદી-ઉધરસ જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરદી-ઉધરસ, ગળામાં ખારાશ (cold, cough and sore throat) માત્ર પરેશાન કરતી નથી, પણ વ્યક્તિને નબળાઈ અને થાકનો અનુભવ કરાવે છે. શરદી અને ઉધરસને દૂર રાખવા માટે તમે વિવિધ આયુર્વેદિક નુસખા (Ayurvedic Tips) અજમાવી શકો છો. આયુર્વેદનાં નિષ્ણાંતો (Ayurveda expert) શરદી અને ઉધરસ દરમિયાન કઈ કઈ વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપે છે અને કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, ચાલો જાણીએ.

શરદી-ઉધરસ દરમિયાન તમારે કઈ ચીજોથી બચવું જોઈએ.

કોલ્ડ ડ્રિંક્સ

આઈસ્ક્રીમ, ગળ્યો ખોરાક, વધારે તળેલું અને ભારે ખોરાક

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

દિવસ દરમિયાન સૂવું અને રાત્રે મોડે સુધી જાગવું

જો તમે શરદી, ઉધરસ અથવા ગળામાં ખરાશથી પરેશાન છો, તો આ આયુર્વેદિક ઉપાયો તમને મદદ કરી શકે છે.

7-8 તુલસીના પાન, આદુનો એક નાનો ટુકડો, લસણની થોડી કળી, 1 ચમચી અજમાના દાણા, 1 ચમચી મેથીના દાણા, હળદર (સૂકા અથવા તાજી) અને 4-5 કાળા મરીના દાણાને 1 લિટર પાણીમાં અડધું ન થાય ત્યાં સુધી ઉકાળો. સવારે ઉઠીને સૌથી પહેલા આ ઉકાળો પીવો.

નહાવા અને પીવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરશો નહીં.

પાચનને વધારવા માટે ગરમ પાણી પીવો.

મધ તમારા ગળાને આરામ આપવામાં મદદ કરે છે અને તેને રાહત મળે છે.

આદુ, હળદર, લીંબુની ચાનું સેવન કરો. તેનાથી તમારા ગળાને આરામ મળશે.

ઉકાળેલા પાણીમાં થોડો અજમો, નીલગિરીનું તેલ અથવા હળદર ઉમેરો અને વરાળ લો. શરદી અને ઉધરસ દરમિયાન આ ખૂબ જ અસરકારક ઉપાય છે.

હળદર વાળું ગરમ દૂધ પીવો.

તુલસીના પાન ખાવાનું રાખો.

આયુર્વેદિક ઉકાળો

ઉકાળો બનાવવા માટે આદુ, 4-5 લવિંગ, 1 ચમચી પીસેલા કાળા મરી, 5-6 તાજા તુલસીના પાન, મધ અડધી ટી સ્પૂન અને તજનો નાના ટુકડાની જરૂર પડશે. એક ઊંડા વાસણમાં પાણી લો અને તેને ઉકાળો. પાણી ઉકળે પછી તેમાં વાટેલું આદુ, લવિંગ, કાળા મરી અને તજ નાખો. તેમાં તુલસીના પાન ઉમેરો. તેને 20 મિનિટ ઉકળવા દો. આ મિશ્રણમાં મધ ઉમેરો અને તેને થોડું ગરમ-ગરમ પીવો.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ Health: માઈગ્રેન માટે દવા નહીં પણ આ એક ફૂલ લાગશે કામ? જાણો કયું છે ફૂલ

આ પણ વાંચોઃ Health : અસ્થમાની બીમારીમાં આ એક સૂકો મેવો ખાવાથી થશે ફાયદો

Next Article