Health: પાચન તંત્ર માત્ર આપણી રોગપ્રતિકારક શક્તિને જ અસર કરતું નથી, પરંતુ તે માનસિક સ્વાસ્થ્ય તેમજ શરીરના સર્વાંગી વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે, ખરાબ જીવનશૈલી અને ફાસ્ટ ફૂડના કારણે તેની ખરાબ અસર આપણા પાચન તંત્ર પર જોવા મળી રહી છે. પેટનું ફૂલવુંથી લઈને કબજિયાત સુધીની બીમારીઓ નબળી પાચનતંત્રની નિશાની છે.
પાચનતંત્રને સ્વસ્થ કરો, આ માટે એક્ટિવ અને તંદુરસ્ત લાઈફસ્ટાઈલ હોવી જરુરી છે. હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો પાચન તંત્રને સ્વસ્થ કરવા માટે પોષણ પણ આટલું જ જરુરી છે, પરંતુ એવા અન્ય આયુર્વેદિક ઉપચાર પણ છે, જેમણે તમારા રુટિનમાં સામેલ કરી પાચન તંત્રને સ્વસ્થ કરી શકાય છે.હાલમાં આર્યુવેદ એક્સપર્ટ ડો રેખા રાધામનીએ પોતાના સોશિયલ મીડિયા પર આર્યુવેદ સાથે જોડાયેલા કેટલાક નુસ્ખા શેર કર્યા છે.
આયુર્વેદમાં લસણને કોઈ મહાન ઔષધિથી ઓછું નથી માનવામાં આવતું. ડો.રેખા રાધામણીના મતે લસણનું દૂધ એસિડિટી, પેટનું ફૂલવું કબજિયાત અને દુખાવામાં ફાયદાકારક છે. લસણ હૃદય રોગ અને આર્થરાઈટિસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : Rajiv Dixit Health Tips : પીરિયડ્સની દરેક સમસ્યા થશે દૂર, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલું આયુર્વેદિક ઉપાય, જુઓ Video
આયુર્વેદ અનુસાર લસણમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણોને કારણે આપણું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આ આપણી પાચન તંત્રને ચેપથી બચાવે છે.આયુર્વેદમાં પેટને અડધાથી વધુ રોગોનું મૂળ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો સવારે ખાલી પેટે લસણની બે કળી પાણી સાથે ગળવામાં આવે તો ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત વગેરે પાચન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.