Health Tips: શું તમે પાચનની સમસ્યાથી પરેશાન છો ? અપનાવો આ આયુર્વેદિક નુસખા

|

Jul 31, 2021 | 7:23 AM

પાચન સંબંધિત પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે કેટલાક આયુર્વેદિક ઉપચારો સૂચવવામાં આવ્યા છે.

Health Tips: શું તમે પાચનની સમસ્યાથી પરેશાન છો ? અપનાવો આ આયુર્વેદિક નુસખા
Are you bothered by digestive problems. Adopt this ayurvedic recipe

Follow us on

Health Tips: આયુર્વેદમાં(Ayurved ) કેટલીક એવી વસ્તુઓ સૂચવવામાં આવી છે જે પાચન શક્તિ (Digestive System )વધારવામાં મદદ કરી શકે છે. જો તમારી પાચક શક્તિ નબળી છે તો તે તમને અનેક ગંભીર રોગોના જોખમમાં મૂકી શકે છે. જ્યારે પાચક તંત્રમાં ખલેલ આવે છે, ભૂખ ઓછી થવી, હાર્ટબર્ન થવું, પેટના ઉપરના ભાગમાં સોજો, થાક જેવા લક્ષણો જોવા મળે છે.

આની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે તણાવમાં રહેવું, ઝડપથી ખાવું, યોગ્ય રીતે ચાવીને ન ખાવું, વધુ મસાલેદાર ખોરાક લેવો, વધુ કેફીન અથવા ચોકલેટનું સેવન કરવું. તેથી, આ સમસ્યાને દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં કેટલીક એવી વસ્તુઓ છે જે પાચન શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.

આ 5 વસ્તુઓનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત બનશે

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વરીયાળી(Saunf )
વરિયાળીના સેવનથી પાચન સ્વસ્થ રહે છે.એવા ઘણા પોષક તત્વો તેમાં હોય છે, જે પેટના નીચેના દર્દને દૂર કરે છે, સાથે સાથે પાચક શક્તિને પણ મજબૂત બનાવે છે. આ કિસ્સામાં, તમે વરિયાળીનાં પાણીનો વપરાશ કરી શકો છો.

ધાણા(coriander )
ધાણાની પ્રકૃતિ ઠંડી છે. આ જ કારણ છે કે તે પાચનમાં ખૂબ ઉપયોગી છે. તે પેટની ગરમીને શાંત કરે છે. તે ગેસ અથવા એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે. પાચન શક્તિને મજબૂત કરવા માટે તમે ધાણાજીરુંનું સેવન કરી શકો છો.

એલોવેરા (aloevera )
જો તમે પેટની ઘણી સમસ્યાઓ જેમ કે પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, અલ્સર વગેરેથી પરેશાન છો, તો તમે પાણીમાં એલોવેરાનું સેવન કરી શકો છો. આ કરવાથી સમસ્યા હલ થઈ શકે છે.

હળદર(turmeric )
હળદર એન્ટીબાયોટીકનું કામ કરે છે. જો હળદર દૂધ સાથે પીવામાં આવે છે અથવા ચપટી હળદર નવશેકા પાણીમાં મેળવી લેવામાં આવે છે, તો તે પાચક શક્તિને જ મજબૂત બનાવે છે, પરંતુ પેટની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.

આમળા (gooseberry )
આમળા પેટની સમસ્યાઓ મટાડવા માટે ઉપયોગી છે. આ સાથે,આમળાંથી પાચન તંત્રને મજબૂત કરી શકાય છે. સવારે ઉઠ્યા પછી પાણીમાં આમળાના પાવડર મિક્ષ કરીને સેવન કરો આ કરવાથી પાચક શક્તિને મજબૂત બનાવવામાં મદદ મળશે.

Published On - 7:23 am, Sat, 31 July 21

Next Article