Summer Tips : ઉનાળામાં ઠંડા-ઠંડા કુલ-કુલ રહેવા માટે કરો રસોડામાં મળી જતા આ મસાલાઓનો ઉપયોગ

|

May 11, 2021 | 3:46 PM

Summer Tips :બળબળતી બપોરમાં ઠંડક મેળવવા માટે આપણે ઘણા ઉપાયો અજમાવીએ છીએ. કોઈ સ્વિમિંગ પુલમાં ડૂબકી લગાવે છે તો કોઈક બરફના પહાડો સર કરવા પ્રવાસે નીકળી જાય છે. પણ કોરોના કાળમાં ન તો તમે સ્વિમિંગપુલમાં જઇ ઠંડક મેળવી શકો છો અને ન તો ઠંડા સ્થળે પ્રવાસે જઇ શકો છો.

Summer Tips : ઉનાળામાં ઠંડા-ઠંડા કુલ-કુલ રહેવા માટે કરો રસોડામાં મળી જતા આ મસાલાઓનો ઉપયોગ
ઉનાળા

Follow us on

Summer Tips :બળબળતી બપોરમાં ઠંડક મેળવવા માટે આપણે ઘણા ઉપાયો અજમાવીએ છીએ. કોઈ સ્વિમિંગ પુલમાં ડૂબકી લગાવે છે તો કોઈક બરફના પહાડો સર કરવા પ્રવાસે નીકળી જાય છે. પણ કોરોના કાળમાં ન તો તમે સ્વિમિંગપુલમાં જઇ ઠંડક મેળવી શકો છો અને ન તો ઠંડા સ્થળે પ્રવાસે જઇ શકો છો.

હાલ દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. અને તેવામાં તમે ફક્ત ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. તેવામાં જો તમને ગરમીથી પરેશાન છો તો અમે તમને બતાવી રહ્યા છે એવા ઉપાયો. જેના સેવનથી તમને ઘરે બેઠા બેઠા ઠંડકનો અનુભવ થઈ શકે.

સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં શરબત, લસ્સી રાયતા અને ઠંડા સલાડ આપણા દૈનિક આહારમાં નિયમિત રૂપથી સમાવેશ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જેનો વપરાશ કરવાથી આપણને ગરમી સામે રક્ષણ મળે છે. રસોડામાં રહેલા આ મસાલાઓ વિશે આયુર્વેદમાં પણ જાણકારી આપવામાં આવી છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

કોથમીર :
કોથમીરનો પ્રયોગ આમ તો દરેક મોસમમાં કરવામાં આવે છે. કોથમીર ફક્ત આપણી શાકભાજીનો સ્વાદ સારો નથી બનાવતા પરંતુ તે આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કોથમીરના સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે સાથે જ તેના પાંદડાથી પરસેવાની દુર્ગંધ પણ દૂર થાય છે.

લીલી ઈલાયચી :
લીલી ઇલાયચીનો ઉપયોગ મુખવાસના રૂપમાં કરવામાં આવે છે જેનાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવાં ખનીજ પદાર્થ હોય છે. તેમાં ફાઈબર પણ હોય છે. જેનાથી ગરમીમાં થનારી એસીડીટી, છાતીમાં બળતરા, કબજિયાત જેવી પ્રોબ્લેમને દૂર કરી શકાય છે.

ફુદીના :
ઇમ્યુનિટી મજબૂત કરવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં આ એક ઔષધિ છે જેનો ઉપયોગ પણ તમામ જડીબુટી માં કરવામાં આવે છે. ગરમીમાં લોકોને એસીડીટી, છાતીમાં બળતરા અને ગેસ જેવી સમસ્યાનો શિકાર થાય તેવા માં પુદીનાના ઉપયોગ ફાયદાકારક છે.

હળદર :
કોરોનામાં હળદરના કોગળા અને હળદર વાળા દૂધનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ખૂબ જ ઝડપથી મળી જતી હળદર એક એવી સામગ્રી છે, જેનો વપરાશ શિયાળામાં તો ખરો જ પરંતુ ગરમીની સિઝનમાં પણ વાનગીઓમાં કરવામાં આવે છે. તે શરીર માં દુખાવા અને સોજાને ઓછો કરવાની સાથે-સાથે લીવર માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

વરિયાળી :
વરિયાળીનો પ્રયોગ બધા જ લોકો ખાધા પછી માઉથ ફ્રેશનર માટે કરે છે. રેસ્ટોરેન્ટમાં ભોજન પછી તમને વરિયાળી આપવામાં આવે છે. વરિયાળીમાં વિટામિન સી હોય છે જે તમને ઠંડક આપે છે.

Next Article