Skin Cancer: ત્વચાનાં કેન્સરથી તમારે બચવું છે? તો સનસ્ક્રીનનો ઉપયોગ કરવાની સાચી રીત જાણો

|

Mar 25, 2021 | 9:52 AM

તેજ સૂર્યપ્રકાશ એ ત્વચા(Skin)ના કેન્સરનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. આ કિસ્સામાં સનસ્ક્રીન ત્વચા(Skin)ને રક્ષણ આપે છે. પરંતુ તેને લગાવવાની સાચી રીત પણ જાણવી જોઈએ, જેથી તેનો સંપૂર્ણ લાભ મળી શકે.

Skin Cancer: ત્વચાનાં કેન્સરથી તમારે બચવું છે? તો સનસ્ક્રીનનો ઉપયોગ કરવાની સાચી રીત જાણો
Skin Cancer: ત્વચાનાં કેન્સરથી તમારે બચવું છે?

Follow us on

Skin Cancer:  તેજ સૂર્યપ્રકાશ એ ત્વચા(Skin)ના કેન્સરનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. આ કિસ્સામાં સનસ્ક્રીન ત્વચા(Skin)ને રક્ષણ આપે છે. પરંતુ તેને લગાવવાની સાચી રીત પણ જાણવી જોઈએ, જેથી તેનો સંપૂર્ણ લાભ મળી શકે.

વધુ તેજ સૂર્યપ્રકાશ ત્વચા(Skin)ના કેન્સરનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. જે લોકો દરરોજ આકરા તાપમાં લાંબા સમય સુધી મહેનત કરે છે, એને ત્વચા(Skin) કેન્સર થવાની સંભાવનાનું પ્રમાણ વધારે છે. ત્વચા(Skin) કેન્સર દરમિયાન કોષો અસામાન્ય વધવાનું શરૂ કરે છે. ચિંતાજનક બાબત એ છે કે તે ઘણીવાર કેન્સરના બીજા તબક્કામાં મળી આવે છે. આવી સ્થિતિમાં તેની સારવાર પણ મુશ્કેલ છે.

પરંતુ તમને એક વાત જાણીને હેરાન થઈ થશો કે સનસ્ક્રીન ક્રીમ તમને ત્વચાના કેન્સરના જોખમથી બચાવી શકે છે. તમારે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જ જોઇએ. સનસ્ક્રીનમાં હાજર રસાયણો સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણોને સીધી તમારી ત્વચા સુધી પહોંચવા દેતા નથી. એનાથી ત્વચાના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. ત્વચાના કેન્સરના લક્ષણો નિવારણ અને સનસ્ક્રીન લગાવવાની યોગ્ય રીત વિશે જાણો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

લક્ષણો

1. તડકામાં બહાર જતાની સાથે જ ખંજવાળ આવે છે.

2. વારંવાર ખરજવું થવાની સમસ્યા.

3. ત્વચા પર હાજર તલનો રંગ બદલો

4. ડાગ- ધબા સતત થતા રહે

5. ગરદન, ગાલ, કપાળ અને આંખો નજીક બળતરા થવી

સનસ્ક્રીન લગાવવા માટે આ પદ્ધતિઓ અપનાવો

1. શક્ય તેટલું પાણી પીવો જેથી શરીર ડિહાઇડ્રેટ ન થાય.

2. જ્યારે પણ તડકામાં બહાર જાવ ત્યારે શરીરને સંપૂર્ણ રીતે ઢાંકીદો.

3. સનસ્ક્રીનનો ઉપયોગ કરો અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો.

4. હળવો ખોરાક ખાવો, મસાલેદાર અને બહારનું ખાવા પર ધ્યાન રાખવું

5. સસ્તા કોસ્મેટિક્સનો ઉપયોગ કરશો નહીં.

6. ઉનાળામાં 11 થી 2 વાગ્યે તડકામાં બહાર નીકળવાનું ટાળો

સનસ્ક્રીન લગાવવાની સાચી રીત જાણો

મોટાભાગની સ્ત્રીઓ સનસ્ક્રીન સીધી ત્વચા પર લગાવે છે અથવા તો તેને મોઇશ્ચરાઇઝરમાં ભળીને લગાવે છે, પરંતુ આ બંને પદ્ધતિઓ સંપૂર્ણ પણે ખોટી છે. સનસ્ક્રિન ક્રીમ તમે પહેલા ત્વચા પર મોનિશ્ચરાઇઝરની સારી રીતે લગાવવી જોઈએ અને ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ માટે મૂકી રાખવી જોઈએ. જ્યારે ત્વચા મોઇશ્ચરાઇઝરને શોષી લે છે, સનસ્ક્રીન ક્રીમ લગાવો અને તેને લગાવ્યાના ઓછામાં ઓછા 20 મિનિટ પછી ઘર બહાર નીકળો, જેથી તેને લગાવ્યા પછી ક્રીમની યુવી ફિલ્ટર્સ થઈ ત્વચા માટે સનસ્ક્રીન કવચનું કામ કરી શકે.

વૈધાનિક ચેતવણી: આ લેખ વધુ માહિતિ આપવા માટેનો પ્રયાસ છે. આ સંદર્ભમાં વધુ વિગતો માટે સ્કીન સ્પેશ્યાલિસ્ટનો સંપર્ક ખાસ કરવો

Next Article