મહિનાના એ ચાર દિવસોમાં થતાં અસહ્ય દુઃખાવાથી રાહત મેળવવા અપનાવો આ દાદીમાના નુસખા

|

Oct 09, 2020 | 6:59 PM

માસિકધર્મ એટલે કે પીરિયડ્સ સામાન્ય રીતે 13 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે. આમ તો રેગ્યુલર પીરિયડ્સએ વાતનો સંકેત છે કે મહિલાઓ બીજી બીમારીઓથી દૂર છે પણ પિરિયડ દરમ્યાન મહિલાઓ અસંખ્ય સમસ્યાઓનો સામનો કરે છે. ફક્ત એટલું જ નહીં આ 4 કે 5 દિવસમાં તેની સામે ઘણી મુશ્કેલી અને દુઃખાવાની પણ સમસ્યા આવે છે. આજે […]

મહિનાના એ ચાર દિવસોમાં થતાં અસહ્ય દુઃખાવાથી રાહત મેળવવા અપનાવો આ દાદીમાના નુસખા

Follow us on

માસિકધર્મ એટલે કે પીરિયડ્સ સામાન્ય રીતે 13 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે. આમ તો રેગ્યુલર પીરિયડ્સએ વાતનો સંકેત છે કે મહિલાઓ બીજી બીમારીઓથી દૂર છે પણ પિરિયડ દરમ્યાન મહિલાઓ અસંખ્ય સમસ્યાઓનો સામનો કરે છે. ફક્ત એટલું જ નહીં આ 4 કે 5 દિવસમાં તેની સામે ઘણી મુશ્કેલી અને દુઃખાવાની પણ સમસ્યા આવે છે. આજે ગુગલના દોરમાં પણ દાદીમાના નુસખા આ સમસ્યા સામે લડવા કારગર સાબિત થઈ રહ્યા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1). જો તમને અનિયમિત પીરિયડ્સ આવતા હોય તો તમે પપૈયાનું સેવન કરો. પપૈયામાં એવા તત્વો હોય છે જે પિરિયડ્સને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. તેવામાં સીમિત માત્રામાં પપૈયાનું સેવન પીરિયડ્સ નિયમિત કરવામાં મદદ કરે છે.

2). પીરિયડ્સ ક્રેમ્પ એટલે કે પેટમાં દુખાવો થાય ત્યારે પેઈનકીલરનો ઉપયોગ ટાળો. પેઈનકીલરથી થોડા સમય માટે દુઃખાવો સારો થઈ જશે પણ હોર્મોનલ ચેન્જના કારણે શરીરમાં બદલાવ થાય છે અને દવા તેના માટે નુકશાનકારક થઈ શકે છે.

3). આ સમય દરમ્યાન છોકરીઓને કમજોરી આવે છે અને ચક્કર પણ આવે છે. આવા સમયે ખાંડ અને મીઠુંના મિશ્રણવાળું પાણી પીઓ. જે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવી રાખે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

4). પેટમાં દુઃખાવો થાય ત્યારે અજમાનું પાણી પણ પી શકો છો. તેનાથી ઘણી રાહત થાય છે.

5). તમે ઘણીવાર દાદી-નાનીને આવું કહેતા સાંભળ્યું હશે કે પીરિયડ્સ દરમ્યાન ખાટી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તેના કારણે મેનેસ્ટ્રુઅલ ફ્લો બગડી જાય છે. જેથી આ સમય દરમ્યાન અથાણું કે આમલી જેવી ખાટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article