છોડ વૃક્ષની સાથે સાથે કેટલીક જડી બુટ્ટીઓ પાણીમાંથી પ્રાપ્ત થાય છે અને આવી ઔષધીય વનસ્પતિમાંથી એક છે શિંગોડા. શિંગોડાનો ઉપવાસમાં સૌથી વધારે ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
શિંગોડા પાણીમાં થતો એક છોડ છે, જે પાણીમાં વેલાની જેમ પથરાયેલો હોય છે. તેના પાન જલકુંભી જેવા હોય છે. તેનું બહારનું કવચ કાળા રંગનું કઠણ હોય છે અને અંદર સફેદ રંગનું ફળ હોય છે.
ફાયદા :
1). જો કોઈને શરીરમાં કોઈપણ સોજાવા કે દુખાવાની ફરિયાદ હોય તો શિંગોડામાં એનાલ્જેસિક અને એન્ટી ઇન્ફ્લેમરી ગુણો હોય છે, જે રાહત આપે છે.
2). હાઈ બ્લડપ્રેશર નિયંત્રિત કરવા માટે શિંગોડા ઔષધનું કામ કરે છે. તેમાં પોટેશિયમ આવેલું હોવાથી લોહીની નસોને આરામ મળે છે.
3). બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કારણે હૃદયની બીમારીઓ થાય છે. જેને નિયંત્રિત કરવા માટે શિંગોડા મદદરૂપ થઇ શકે છે.
4). લોહીમાં વધારે સુગરને કારણે ડાયાબીટિઝની સમસ્યા થઇ શકે છે. શિંગોડામાં પોનિફિનોલ્સ નામનું તત્વ લોહીમાં સુગરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.
5). શિંગોડામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેંટ અને એન્ટી કેન્સર ગુણો ઉપલબ્ધ છે. જે કેન્સરથી બચાવવામાં મદદરૂપ થઇ શકે છે.
6). વધતા વજન અને મોટાપાની સમસ્યા અસંખ્ય બીમારીઓ સાથે લાવે છે. શિંગોડા વજન નિયંત્રિત રાખવામાં કંઈક અંશે મદદરૂપ થઇ શકે છે.
7). ગર્ભાવસ્થામાં શિંગોડા ખાવાથી ભ્રુણને પોષણ મળે છે. છતાં ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરોની સલાહ બાદ શિંગોડાનું સેવન કરવું જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 11:04 am, Fri, 25 September 20