HEALTH : જાંબુના ઠળિયા પણ આ બિમારીઓમાં અસરકારક, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

જાંબુ (blackberry jaamun)ના જે ઠળિયા (seeds)ને આપણે નકામા સમજીને તમે ફેંકી દઈએ છીએ, પણ હકીકતમાં તે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

HEALTH : જાંબુના ઠળિયા પણ આ બિમારીઓમાં અસરકારક, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 06, 2021 | 7:43 PM

જાંબુ (blackberry jaamun)ને એવા ફળોની શ્રેણીમાં ગણવામાં આવે છે જેનો ઉનાળામાં લોકો વધુ વપરાશ કરે છે. ઉનાળામાં તે સૌથી વધુ ગમતું ફળ છે. શું તમે જાણો છો કે જાંબુ ઘણા રોગોમાં ફાયદાકારક છે. જાંબુમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. એટલે કે જાંબુ ખાવાથી ભૂખ જલ્દી લાગતી નથી.

આપણે ઘણી વખત જાંબુ ખાઈએ છીએ અને તેના ઠળિયા (seeds)બહાર ફેંકી દઈએ છીએ. જાંબુના જે ઠળિયાને આપણે નકામા સમજીને તમે ફેંકી દઈએ છીએ, પણ હકીકતમાં તે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આજે અમે તમને જાંબુના ઠળિયાના ગુણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, એ જાણ્યા પછી કે તમે પણ ક્યારેય જાંબુના ઠળિયાને નકામા સમજીને નહિ ફેંકો. જાંબુના ઠળિયાને સુકવી, તેનો પાવડર બનાવી નિયમિતપણે સેવન કરવાથી ઘણા રોગો મૂળમાંથી દૂર થાય છે. આવો આપણે જાણીએ કે જાંબુના ઠળિયાથી આપણા શરીરને ક્યાં ક્યાં ફાયદા થાય છે.

ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવા મદદ કરે છે જાંબુ બ્લડ સુગરને સંતુલિત કરવામાં ખૂબ મદદગાર છે. જાંબુના ઠળિયામાં જામ્બોલીન (jamboline) અને જામ્બોસીન (jambosin) સંયોજનો હોય છે, જે બ્લડ સુગરને ઘટાડે છે. જાંબુના ઠળિયા ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો કરવામાં પણ અસરકારક છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે જાંબુના ઠળિયા પેટને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરે છે. જાંબુના ઠળિયામાં રહેલું ફાઇબર આપણી પાચકતંત્રની કામગીરી સુધારવામાં મદદ કરે છે. જાંબુના ઠળિયા આંતરડાના ચાંદા, બળતરા અને અલ્સરની પીડાથી રાહત મેળવવા માટે દવા તરીકે પણ વાપરી શકાય છે.

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે જાંબુના ઠળિયા હાઈ બ્લડ પ્રેશર સામે ખૂબ મદદગાર છે. જાંબુના ઠળિયામાં એક પ્રકારનો એન્ટીઓકિસડન્ટ હોય છે, જેને એલીજીક એસિડ કહેવામાં આવે છે. જે બ્લડ પ્રેશરની ઝડપી ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ઇમ્યુનિટી મજબૂત કરે છે જાંબુના ઠળિયા પણ ફ્લેવોનોઈડ અને અને ફિનોલિક સંયોજનો હોય છે, જે અત્યંત શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ માનવામાં આવે છે. જે શરીરમાંથી હાનિકારક મુક્ત રેડિકલને દૂર રાખવામાં મદદ કરે છે, સાથે શરીરની ઇમ્યુનિટી વધારે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે જાંબુના ઠળિયામાં ફાઇબર ભરપુર માત્રામાં હોય છે, જેના કારણે તે પેટને સુરક્ષિત રાખવામાં અને વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

કેવી રીતે બનાવવો જાંબુના ઠળિયાનો પાવડર? જાંબુના ઠળિયાને ધોઈને આછા કપડાથી ઢાંકીને તડકામાં સૂકવો. જ્યારે ઠળિયા સંપૂર્ણપણે સૂકાઈ જાય ત્યારે ટુકડા કરી લો. તેમને તોડ્યા પછી તેમને ગ્રાઇન્ડર માં પીસી લો, જેથી તે પાવડર સ્વરૂપમાં આવશે. આ ચુર્ણને પાણી સાથે સવારે ખાલી પેટ સેવન કરો. જાંબુનું સેવન જાંબુના ઠળિયાનો પાવડર અથવા તેના પાંદડાના પાવડર સ્વરૂપે ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">