Ghee Benefits: દેશી ઘીને લઈને જો હોય આ માન્યતા તો કાઢી નાખજો, ઘી વજન વધારુતું નથી પણ ઘટાડે

|

Mar 20, 2021 | 11:30 PM

દેશી ઘીને (Ghee) લઈને લોકોને માન્યતા હોય છે કે, ઘીથી(Ghee) વજન વધે છે, પરંતુ વિશેષજ્ઞનું માનવું છે કે, ઘીનું સાચી રીતે સેવન કરવામાં આવે તો શરીરની વધારાની ચરબીને ઘટાડે છે.

Ghee Benefits: દેશી ઘીને લઈને જો હોય આ માન્યતા તો કાઢી નાખજો, ઘી વજન વધારુતું નથી પણ ઘટાડે

Follow us on

દેશી ઘીને (Ghee) લઈને લોકોને માન્યતા હોય છે કે, ઘીથી(Ghee) વજન વધે છે, પરંતુ વિશેષજ્ઞનું માનવું છે કે, ઘીનું સાચી રીતે સેવન કરવામાં આવે તો શરીરની વધારાની ચરબીને ઘટાડે છે. આ સાથે જ પોષક તત્વો પણ આપે છે. કરીના કપૂરે પ્રેગનેન્સી બાદ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, પ્રેગનેન્સી બાદ વધેલા વજનને ઓછું કરવા માટે ઘીનું સેવન બંધ કર્યું ના હતું.

 

કરીનાની ડાયેટિશિયન ઋજુતા દિવેકરે તેમને ઘી ખાવાની સલાહ આપી. રિજુતા ઘીને પોષક તત્વોથી ભરેલું માને છે અને બધાને તે ખાવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે ઘી ખાવાથી શરીરનું આંતરિક સમારકામ થાય છે. અહીં જાણો ઘીના ફાયદા અને વજન ઘટાડવા માટે તે કેવી રીતે અસરકારક છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

ઘીમાં ઓમેગા-3 ફેટ (ડીએચએ) અને ઓમેગા -6 (સીએલએ) હોય છે. ઓમેગા -3 અને ઓમેગા -6 બંને વજન ઘટાડવા માટે વધુ સારા માનવામાં આવે છે. ઓમેગા-3 શરીરની ચરબી ઘટાડવામાં મદદગાર છે, જ્યારે ઓમેગા -6 ચરબી ચરબીનું પ્રમાણ ઘટાડવાનું અને શરીરને પાતળું બનાવવાનું કામ કરે છે. આ સિવાય ઘીમાં એમિનો એસિડ હોય છે, જે ચરબીના કોષોને નાના બનાવે છે. ઘી વિટામિન એ, કે અને ડી ભરપૂર પ્રમાણમાં હોય છે, તે શરીરના હાડકાં મજબૂત કરે છે. ઘીમાં એન્જાઈમ્સ પણ હોય છે જે આંતરડાને સારી રીતે સફાઈ કરે છે અને પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે.

 

નિષ્ણાંતોનું માનવું છે કે ઘીના સેવનથી દૂધ, દહીં અને ઘીના બધા ફાયદા મળી શકે છે. ઘી DHAમાં જોવા મળે છે જે આપણા શરીરમાં નથી બનતું. તે ફક્ત અખરોટ, અળસી બીજ, ફિશ તેલ અને ઘીમાંથી મેળવી શકાય છે. કેંસર, હાર્ટને લગતી સમસ્યાઓ વગેરે ઘણા જીવલેણ રોગોના જોખમથી ડીએચએ શરીરને સુરક્ષિત કરે છે. પરંતુ સામાન્ય વ્યક્તિ માટે દિવસમાં બે ચમચી ઘીનું સેવન કરવું તે પૂરતું માનવામાં આવે છે. આ વજન સંતુલિત રાખે છે અને શરીરને તમામ પોષક તત્વો પણ મળે છે. આ સાથે જ કોઈ બીમારી હોય તો વિશેષજ્ઞની સલાહથી ઘીનું સેવન કરવું જોઈએ.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article