AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HEALTH: અળસીનો પાવડર ફાયદો કરવાની સાથે કરી શકે છે નુકસાન, થોડી જ માત્રામાં કરો સેવન

અળસીને એટલે કે ફ્લેક્સ સીડને (FLAX SEED) સુપરફુડ માનવામાં આવે છે. આજકાલ લોકો સવારના નાસ્તામાં બપોરના ભોજન અને રાત્રિ ભોજનમાં અળસીના બીજ અથવા પાવડર ખાવાની સલાહ આપવામાં આવે છે.

HEALTH: અળસીનો પાવડર ફાયદો કરવાની સાથે કરી શકે છે નુકસાન, થોડી જ માત્રામાં કરો સેવન
Charmi Katira
| Edited By: | Updated on: Feb 02, 2021 | 6:32 PM
Share

અળસીને એટલે કે ફ્લેક્સ સીડને (FLAX SEED) સુપરફુડ માનવામાં આવે છે. આજકાલ લોકો સવારના નાસ્તામાં બપોરના ભોજન અને રાત્રિ ભોજનમાં અળસીના બીજ અથવા પાવડર ખાવાની સલાહ આપવામાં આવે છે. અળસી ડાયાબિટીઝ, અસ્થમા, કેન્સર અને સંધિવા જેવી આરોગ્ય સમસ્યાઓના નિવારણમાં મદદગાર છે. અળસીના સેવનથી કોલેસ્ટરોલનું લેવલ ઘટાડીને વજન ઘટાડવાનું પણ નિયંત્રણ કરે છે, પરંતુ યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટીના સંશોધનકારોના જણાવ્યા અનુસાર, અળસીનો વધુ પ્રમાણમાં વપરાશ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેથી, તમારે તેનો સમજી વિચારીને વપરાશ કરવો જોઈએ.

અળસીમાં ફાઇબર, ઓમેગા -3 ફૈટી એસિડ્સ અને માઇક્રોન્યુટ્રિએન્ટ્સ ભરપુર હોય છે, પરંતુ તેના બીજમાં એવો પદાર્થ હોય છે સાયનાઇડ ગેસ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. સંશોધનકારોએ ચેતવણી આપી છે કે  વધુ  પડતા અળસીના સેવનથી મોટા પ્રમાણમાં સાયનાઇડ ઝેર થઈ શકે છે કારણ કે તેમાં સાયનોજેનિક ગ્લાયકોસાઇડ નામનું તત્વ હોય છે, જે તૂટવાથી સાયનાઇડ ગેસ ઉત્પન્ન થઇ જાય છે. જો અળસીના બીજનું સેવન પાવડર સ્વરૂપમાં કરવામાં આવે તો સાયનાઇડ ગેસ બનવાનો ખતરો વધી જાય છે.

અળસી પાવડરના સેવનથી માથાનો દુખાવો, ચીડ, શ્વાસ લેવામાં તકલીફ અને બેચેની જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ કારણોસર સ્વીડન સરકારે એલર્ટ જારી કર્યું છે કે લોકો અળસીના પાવડરનું સેવન બિલકુલના કરો. આ ઉપરાંત, દરરોજ 25 ગ્રામ કરતા વધુ અળસીનું સેવન આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.

આ સંશોધન એકદમ સાચું છે. અળસીનું સેવન કરવાની સાચી રીત એ છે કે દરરોજ એક ચમચી અળસીના બીજને પીસીને તે જ સમયે પાણી સાથે ખાઓ. અળસીના પાવડરને વધુ સમય સુધી સ્ટોક કરીને ના રાખો. તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">