ચોમાસા બાદ સૌથી વધુ વકરતો રોગ એટલે ચિકુનગુનિયા, જાણો ગંભીરતા અને સારવાર વિશે

|

Sep 18, 2020 | 1:43 PM

ચોમાસુ ગયા બાદ સૌથી વધારે વકરતો રોગ ચીકુનગુનિયા છે. મોટા લોકોની સાથે સાથે આ રોગનું પ્રમાણ બાળકોમાં પણ સૌથી વધારે જોવા મળે છે. જેથી આ સીઝનમાં બાળકોને આ રોગથી બચાવવા સૌથી જરૂરી છે. તેનું મુખ્ય કારણ એ પણ છે કે હજી સુધી આ રોગની કોઈ ચોક્કસ સારવાર શોધી શકાઈ નથી. બાળકો નાના હોવાથી તેમને શું […]

ચોમાસા બાદ સૌથી વધુ વકરતો રોગ એટલે ચિકુનગુનિયા, જાણો ગંભીરતા અને સારવાર વિશે

Follow us on

ચોમાસુ ગયા બાદ સૌથી વધારે વકરતો રોગ ચીકુનગુનિયા છે. મોટા લોકોની સાથે સાથે આ રોગનું પ્રમાણ બાળકોમાં પણ સૌથી વધારે જોવા મળે છે. જેથી આ સીઝનમાં બાળકોને આ રોગથી બચાવવા સૌથી જરૂરી છે. તેનું મુખ્ય કારણ એ પણ છે કે હજી સુધી આ રોગની કોઈ ચોક્કસ સારવાર શોધી શકાઈ નથી. બાળકો નાના હોવાથી તેમને શું તકલીફ પડે છે તે તેઓ શબ્દોમાં પણ કહી શકતા નથી. ચીકુનગુનિયાનો તાવ એ એકજાતના વાયરસની જ બીમારી છે. જે એડિસ મચ્છરના કરડવાથી થાય છે. બાળકોમાં આ તાવ એડિસ ઇજિપ્તિ અને એડિસ એલબોપિક્ટ્સ પ્રકારના મચ્છર કરડવાથી થાય છે.

ચોમાસા પછી આ રોગચાળો વધુ વકરે છે. મોટા ભાગે નવજાત બાળકો અને તેનાથી થોડી મોટી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. જેમાં બાળકને સતત વધારે તાવ, શરીર સાંધાનો દુઃખાવો, ચામડી પર રેશીસ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લક્ષણો શું છે ?

મચ્છર કરડ્યા પછી 2 થી 4 દિવસોમાં આ લક્ષણ જોવા મળે છે. ઠંડી સાથે તાવ આવવો જે એકથી આઠ દિવસ સુધી રહે છે. સાંધા અને સ્નાયુઓમાં દુઃખાવો લાંબો સમય રહે છે. માથા અને પીઠમાં દુઃખાવો થાય છે. અને શરીર પર ઝીણી ફોલ્લીઓ થઈ જાય છે. જે ચાર દિવસ સુધી રહે છે. 6 મહિનાથી નાની ઉંમરના બાળકોમાં તાવ સાથે ખેંચ, મોઢામાં ચાંદા અને ઝાડા ઉલટી થાય છે. બાળકને નાક મોઢામાંથી બ્લીડીંગ પણ થઈ શકે છે. અને આખા શરીરે લાલ ચકામા પણ થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શું છે ઈલાજ ?

દર્દીનું ક્લિનિકલ એક્ઝામીનેશન કર્યા પછી વધુ ચોક્સાઈ માટે RT-PCR(પાંચ દિવસની અંદર) અને ચીકુનગુનિયાનો આઈજીએમ ટેસ્ટ કરવાનો રહે છે. આ રોગની કોઈ ચોક્ક્સ સારવાર નથી કે તેની કોઈ રસી પણ ઉપલબ્ધ નથી. બાળકોને જેવા લક્ષણો હોય તે પ્રમાણે તેને ડોક્ટરે સારવાર આપવી પડે છે. જેમ કે તાવ અને સાંધાના દુઃખાવા માટે પેરાસીટામોલની સીરપ અથવા દવા આપવામાં આવે છે. દર્દીને વધારે પ્રમાણમાં લીંબુ પાણી, નારિયેળ પાણી, ફળોનો જ્યુસ જેવા પ્રવાહી આપવામાં આવે છે.

રોગ અટકાવવા શું કરશો ?

1.મોટા ભાગે બાળકોને રાત્રે મોસ્કીટો રેપેલન્ટ લગાવવાનું રાખો.
2.નાના બાળકોને મચ્છરદાનીમાં જ સુવડાવો.
3.બાળકોને ફૂલ સ્લીવ્ઝના કપડાં પહેરાવો.
4.ઘરની આજુબાજુ બંધિયાર પાણીનો નિકાલ કરો.
5.જંતુનાશકનો સમયાંતરે છંટકાવ કરતા રહો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article