ઘણા લોકો એવા હોય છે જેને ભૂખ લાગતી નથી. એવામાં તેમને ઘણા પ્રકારની આરોગ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે કમજોરી આવવી, વજન ઘટી જવું વગેરે સમસ્યાઓ સામે આવવા લાગે છે. જો તમે પણ એ લોકોમાં સામેલ છો તો અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશું, જેનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાઓનો ઉકેલ લાવી શકો છો.
એવું કહેવાય છે કે જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમને નાની પ્લેટમાં ભોજન ખાવું જોઈએ, ત્યાં જ જે લોકો વજન વધારવા માંગે છે તેમણે મોટી પ્લેટમાં ભોજન કરવું જોઇએ. ઓછુ પરંતુ વધારે વાર ખાવાથી તમારા શરીરમાં ભોજન ખાવાની ઇચ્છા પેદા થશે. નાના નાના અંતરે ખાવાથી એક લાભ એ પણ થશે કે તમને પેટ ભરેલું નહિ લાગશે.
સ્વાસ્થ્ય માટે હેલ્ધી સ્નેક્સ લેતા રહેવાથી ફાયદો એ થશે કે લંચનો સમય અથવા તો ડીનરનો સમય આવવા સુધી તમને સારી ભુખ લાગશે. ઘરના અલગ-અલગ ભાગોમાં જ્યાં તમે કામ કરો છો, જેમ કે કિચન અથવા તો વધારે સમય તમે જ્યાં રહો છો, ત્યાં હેલ્ધી સ્નેક્સ રાખો. તેવામાં તમને મન થશે કંઈક ખાવાનું. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખો કે સ્નેક્સ તમે લંચ અથવા તો ડિનર થી બરાબર પહેલા ન ખાવું.
મસાલેદાર અને સ્વાદિષ્ટ ભોજનની સુગંધ જ સીધી અસર તમારા ભૂખ પર પડશે. સારા ખાવાની સુગંધ તમને ભૂખનો અહેસાસ કરાવે છે. આ ઉપરાંત ભોજન પર લીલી કોથમીર અથવા બીજી કોઈ વસ્તુથી સજાવવાથી તે સારી દેખાય છે. તેનાથી પણ ખાવાની ઇચ્છા પેદા થાય છે.
નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો