સૂકા મેવામાં દરેકના ઘરમાં બદામ તો હોય જ છે, પણ શું તમે જાણો છો કે સાદી બદામ ખાવાને બદલે પલાળેલી બદામ ખાવાના ઘણા ફાયદા છે. નિષ્ણાતો પણ કહે છે કે પલાળેલી બદામ આરોગ્ય માટે શ્રેષ્ઠ છે.
બદામને પલાળવાથી તેના છોતરા નરમ થઇ જાય છે. જેથી તેનામાં એક વિશેષ પ્રકારની એન્જાઈમ્સની પ્રક્રિયા થાય છે. પાણીમાં રાખવાથી બદામ નરમ અને ચાવવામાં આસાન થઇ જાય છે. જેથી શરીરને બદામમાંથી મળતા પોષકતત્વો વધારે સારી રીતે મળે છે.
બદામમાંથી ઓમેગા 3, વિટામિન ઈ, ઝીંક, મેગ્નેશિયમ, પ્રોટીન અને ફાઈબર મળે છે. બદામને પાંચ છ કલાક પલાળીને રાખવી જોઈએ અને તે પછી તેને બાળકો, ગર્ભવતી બહેનો, વૃધ્ધો સૌ કોઈ ખાઈ શકે છે.
પલાળેલી બદામ ખાવાના ફાયદા :
1) નાના બાળકોની યાદશક્તિ વધારવા માટે તેમને આવી બદામ ખવડાવવી જોઈએ.
2) પચવામાં હળવી હોવાથી પલાળેલી બદામ ડાયજેશન પણ સુધારે છે.
3) વેઇટ લોસ માટે પલાળેલી બદામ ખાવાથી વજન જલ્દી ઉતરે છે.
4) હૃદય સંબંધિત બીમારીઓ પણ ઓછી થાય છે.
5) બદામ વાળું દૂધ પીવાથી પણ શરીરને અસંખ્ય ફાયદાઓ થાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 4:06 pm, Sun, 27 September 20