Ayurvedic Treatment for Covid : કોરોનાને નાથવા લો આયુર્વેદનો સહારો, ઑક્સીજન લેવલ વધારવા કરો આ ઉપાય

|

Apr 24, 2021 | 5:47 PM

. કોરોના જેવી બીમારીઓ તેના દૂષિત કારકો અને લક્ષણોને આધારે તેને જનપોદોધ્વંસ કહેવમાં આવ્યો છે. એટેલે કે એવી બીમારીઓ કે જે, જળ, વાયુ, જમીના, દેશ અને કાળના પ્રદુષિત થવાથી થાય છે.

Ayurvedic Treatment for Covid : કોરોનાને નાથવા લો આયુર્વેદનો સહારો, ઑક્સીજન લેવલ વધારવા કરો આ ઉપાય
Ayurvedic Treatment for Covid

Follow us on

Ayurvedic Treatment for Covid : કોરોનાથી સંક્રમિત લોકોએ આયુર્વેદનો સહારો લઈને કોરોનાને હરાવ્યાના ઘણા દાખલા આજકાલ સામે આવી રહયા છે. કોરોના જેવી બીમારીઓ તેના દૂષિતકારકો અને લક્ષણોને આધારે તેને જનપોદોધ્વંસ કહેવામાં આવ્યો છે. એટેલે કે એવી બીમારીઓ કે જે, જળ, વાયુ, જમીના, દેશ અને કાળના પ્રદુષિત થવાથી થાય છે. અને સમયની સાથે સાથે વધુને વધુ ઘાતક બનતી જાય છે. આનાથી બચવા માટે લોકોએ પોતાની રોગપ્રતિકારક વધારવી જોઈએ, આવું અખિલ ભારતીય વન ઔષધિ પ્રચાર પસાર આયોગના પ્રમુખ અને પશ્ચિમ બિહાર સ્થિત ડાલ્કો હેલ્થકેરથી નિર્દેશક વૈધ દિપક કુમારનું કહેવું છે. તેમના જણાવ્યા પ્રમાણે કોરોનાથી પીડિત વ્યક્તિએ યોગ, શારીરિક બળ, અને પ્રાણાયામ કરવું જોઈએ. આનાથી માનસિક તંદુરસ્તી જળવાઈ રહે છે અને ફેફસાની તંદુરસ્તી તેમજ કાર્યક્ષમતા બંને વધે છે. તેમજ બેક્ટેરિયાને નાશ કરતાં અને ફેફસાંને મજબૂત બનાવતી વન ઔષધિનું સેવન કરવું જોઈએ. દીપકના જણાવ્યા અનુસાર અગર જો કોઈનું ઓક્સિજન લેવલ ઓછું થતું હોય તો તેને ઊંધું પેટ પર સૂઈ જવું જોઈએ જેનાથી 5 ટકા જેટલું ઑક્સીજન લેવલ વધી જાય છે.

કોરોનાથી બચવા કરો આ ઉપાય

– તુલસી, કાલમેઘ, ચિર્યાતા, ગિલોય, લીમડો, વાસા, મુલેઠી અને તજપત્તા દવા તરીકે વૈદ્યની દેખરેખ હેઠળ લેવો જોઈએ.
– જ્યારે શ્વાસ ફૂલવા માંડે ત્યારે સરસવ અથવા તલનું તેલ ગરમ કરો અને તેમાં એક ચપટી પથ્થર મીઠું નાખીને રાત્રે સૂતા પહેલા તેને છાતી પર લગાવો.
– ચાર ટીપાં સરસવ અથવા અણુનું તેલ નાકમાં ગરમ ​કરીને નાખવું જોઈએ
– સૈંધવ મીઠાના પાણીથી અથવા હળદર વાળા પાણીથી કોગળા કરવા જોઈએ.
– દશાંગ, કરપુર અને ગૂગળઑ ઘૂપા કરવો જોઈએ.
– ફળો અને તાજી શાકભાજી ખાઓ.
– ખોરાકમાં એન્ટિવાયરલ અને રોગ વધારતી ચટણીનો પણ સમાવેશ કરી શકાય છે. આ માટે બે કાચા આમળા, ત્રણ કાચી હળદર, ચારથી પાંચ લસણની કળીઓ, એક ટામેટા, ધાણા અને સિંધવ મીઠું નાખીને ચટણીનું સેવન કરવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

નોંધ: ઉપર જણાવેલ પ્રયોગો વિવિધ વિશેષજ્ઞો દ્વારા જણાવેલા પ્રયોગોમાથી અહી જણાવવામાં આવ્યા છે. આપના પર પ્રયોગ કરતાં પહેલા જાણીતા કોઈ નિષ્ણાતની સલાહ લઈ આગળ વધવુ

આ પણ વાંચો:  120 વર્ષ સુધી જીવે છે અહિયાંના લોકો, દેખાય છે હંમેશાં યુવાન, જાણો શું છે રહસ્ય?

Next Article