કહેવાય છે કે, ઈશ્વરની જ્યારે સૌથી વધુ કૃપા થાય. ત્યારે જ મનુષ્યનું જીવન મળે અને જે અકાળે મોત અપનાવવાની કોશિશ કરે તેને કાયરનું નામ અપાય છે. છતાં સામાજિક સંજોગોથી કંટાળીને લોકો આપઘાતનું પગલું ભરતાં હોય છે. એક અજીવ ઘટના છોટાઉદેપુરમાં બની છે. બોડેલીની નર્મદા મુખ્ય નહેરમાં એક મહિલાએ મોદની છલાંગ લગાવી દીધી. મહિલા ડૂબવા લાગી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો કે, આપઘાતના પ્રયાસ બાદ મહિલા તરવા લાગી હતી. તે ડૂબી નહીં અને આસપાસના લોકોએ સમયસૂકતા વાપારીને મહિલાને બચાવવાની કામગીરી પણ શરૂ કરી દીધી. ભારે જહેમત બાદ મહિલાને બચાવી પણ લેવાઈ. અને તેને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ. આ મહિલાએ કેમ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેનું કારણ જાણવા મળ્યું નથી. જો કે, આ ઘટનાએ એક વાત તો સાબિત કરી જ દીધી કે, મોત સામે જીંદગી જીતી ગઈ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]